SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૭ અવરોધનો અભાવ છે. અવધિ અને મન:પર્યાય જ્ઞાનમાં મન એક જ અવરોધક તત્ત્વ છે તેથી તેમને પ્રત્યક્ષજ્ઞાન આપવા માટે સમર્થ ગણ્યાં નથી. સમ્યક્ ચારિત્ર મેહમાંથી મુકત થવા માટે અને પરિણામે મનુષ્ય કોને ત્યાગ કરવો અને કોનો સાક્ષાત્કાર કરવો તે સ્પષ્ટ કરી આપે તેવાં તત્ત્વોનાં જ્ઞાનથી વ્યકિત સજજ થાય તે માટે સમ્યક્ દર્શન અને સમ્યક જ્ઞાન જરૂરી છે. આ બંનેને મેક્ષના એક પ્રધાન અને અનિવાર્ય અંગ તરીકે સમ્યક ચારિત્રની જરૂર પડે છે. કુન્દકુન્દના કહેવા પ્રમાણે વ્યવહાર નય અનુસાર સમ્યક ચારિત્ર તપશ્ચર્યાની વિધિમાં રહેલું છે જ્યારે નિશ્ચય નય અનુસાર જીવનાં સાચાં સ્વરૂપનાં ધ્યાનમાં મગ્ન રહી તપનું પાલન કરવામાં સમ્યક ચારિત્ર સમાયેલું છે. આ જ વિચાર વિસ્તાર કરતાં નેમિચન્દ્ર કહે છે કે નિશ્ચય નય પ્રમાણે દેહની અને વાણીની બાહ્ય પ્રવૃત્તિઓ પર તેમજ મનની આંતરિક પ્રવૃત્તિઓ પર અંકુશ રાખવાથી સમ્યક ચારિત્ર પ્રાપ્ત થાય છે અને તેનાથી જીવનમાં સાચા સ્વરૂપના સાક્ષાત્કારમાં બાધક તેમજ આવરણરૂપ બધી જ વસ્તુઓ દૂર થાય છે. સમ્યક્ ચારિત્ર પુનર્જન્મનાં કારણોનો નાશ કરે છે. એકાગ્રપણે ધ્યાન ધરવાથી, સંસારના કારણરૂપ અને શુદ્ધ જીવનાં સાચાં સ્વરૂપથી પર એવાં શુભ અને અશુભ કર્મોનો ક્ષય થાય છે. સુખદ કે દુઃખદ વસ્તુઓ પ્રત્યે અનાસકિત પર તેમજ મનને બીજે માર્ગે દોરે તેવાં ચિંતન પર ધ્યાનની સફળતાનો આધાર રહેલે છે. નિશ્ચય નય અનુસાર, જેણે જગતનો ત્યાગ કર્યો છે, જે મનની એકાગ્રતા ધરાવે છે અને જીવનમાં સાચા સ્વરૂપને જેણે જાણ્યું છે તે જ વ્યકિત સમ્યક ચારિત્ર દાખવી શકે. સમ્યક ચારિત્ર જીવના ગુણો સાથે સંવાદ ધરાવતું હોવું જોઈએ અને જીવનાં સ્વરૂપથી પર એવાં દૂષણો અને વિકૃતિઓથી મુકત હોવું જોઈએ. ત્રણ રત્નો ભેગાં થાય તો જ મોક્ષમાર્ગ રચાય છે. જે પોતાને જાણે છે તે જ પિતાનો સાક્ષાત્કાર કરે છે, અને ચારિત્ર, જ્ઞાન તેમજ દર્શનની પ્રતીતિ પણ તે જ કરી શકે છે. જૈન તત્ત્વચિંતકોએ સમ્યક ચારિત્ર પર ઘણે ભાર મૂકયો છે. સમ્યક જ્ઞાન સાથે અસંગત ચારિત્ર, મિથ્થા ચારિત્ર અથવા દુષ્ટ ચારિત્ર છે. રત્નત્રયની પરિપૂર્ણતાથી જ જીવને બંધનમાંથી મુકત કરી શકાય. ધર્મગ્રંથોમાં પ્રવીણ વ્યકિત જો જાતે આત્મનિગ્રહી ન હોય અને તપશ્ચર્યાનું પરિપાલન ન કરે, તો તેનું જ્ઞાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy