SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ અમૃતચંદ્ર આચાર્યનું એવું સૂચન છે કે સમ્યક્ જ્ઞાનરૂપી મજબૂત ઇમારત બાંધવા આપણને આઠ સ્તંભાની જરૂર છે. એ સ્તંભા આ પ્રમાણે છેઃ (૧) ગ્રંથ – ધર્મગ્રંથાનું વાંચન. કાળજીપૂર્વક અને નિષ્ઠાપૂર્વક આવા ગ્રંથોનું વાચન સૌ પ્રથમ જરૂરી છે. (૨) અર્થ-અર્થ સમજ્યા વગરનું યાંત્રિક વાચન નિરર્થક છે. શબ્દો, વાકયાંશા, તેમના અભિપ્રેત અર્થ વગેરેનું મહત્ત્વ સંતાષપૂર્વક સમજાય કે પચાવાય, તે જ વાચન સફળ બને છે. (૩) અભ્યાસ-વાચન અને તેના અર્થની સમજ બંને જરૂરી છે. બંને ભેગાં થાય ત્યારે જ્ઞાનની પ્રક્રિયા અને તાત્પર્ય પૂર્ણ થાય. (૪) હ્રા-અધ્યયન માટે પસંદ કરેલા સમય યોગ્ય હોવા જોઈએ. મન શાંત હોવું જોઈએ અને ચિંતા કે વ્યથાઓથી ક્ષુબ્ધ થએલું હાવું ન જોઈએ. (૫) વિનય-નમ્રતા. ધર્મગ્રંથો પ્રત્યે સન્માનભર્યું વલણ અને વિષય પ્રત્યે જિજ્ઞાસાભર્યા અભિગમ, આપણાં જ્ઞાન પ્રત્યેની નિષ્ઠાને વિકસાવવા માટે કેળવાય તે જરૂરી છે. (૬) સોવધાન—ચારિત્ર અને વર્તણૂકનું ઔચિત્ય. અધ્યયન કરતાં કઠિન શબ્દો કે પદાવલીઓ આવે, ન સમજાય એવા વિચારો અને ભાવા પણ હોય; મન આ બધાંને ગ્રહણ કરવા અનુકૂળ રહે તે જરૂરી છે. અધીરાઈભર્યા, ઉતાવળાં કે અનુચિત વર્તનને પ્રેરે એવા નિર્ણયો ન લેવા જોઈએ. (૭) નન્નુમાન—અધ્યયનમાં રસ અને સાતત્ય જળવાય તે માટે જે વિષયનું અધ્યયન કરતાં હોઈએ તેને સંપૂર્ણ રીતે સમજવાનો ઉત્સાહ પણ અનિવાર્ય છે. (૮) અનિદ્ભવ-જ્ઞાન કે તેનાં પ્રાપ્તિસ્થાને છુપાવવાં ન જોઈએ. જ્ઞાનાર્થીએ પોતાનાં મન અને વૃત્તિને ખુલ્લાં રાખવાં જોઈએ જેથી સંકુચિત વિચારો જ્ઞાનનું પૂર્ણત્વ પામવામાં તેને રોકે નહીં. આમ પવિત્ર ધર્મગ્રંથોનાં ભક્તિભાવભર્યા વાચનથી, યોગ્ય સમયે, નિયમિત રીતે, તેમના અર્થ અને રહસ્યને ઉત્સાહપૂર્વક, ઔચિત્યપૂર્વક અને ખુલ્લાં મનથી સમજવાથી સમ્યક્ જ્ઞાન પ્રાપ્ત થાય છે. ઉપસંહારમાં આપણે ઉમેરી શકીએ કે જૈન જ્ઞાનસિદ્ધાંતનું વિશિષ્ટ લક્ષણ એ છે કે ખરૂં જોતાં પ્રત્યક્ષ અને પૂર્ણ જ્ઞાનના એક જ પ્રકાર છે અને તે કેવલજ્ઞાન છે. આવું હોવાથી આ પ્રકારનાં જ્ઞાનને સર્વોપરી અને અહીંદ્રિય ગ્રહણ કહ્યું છે. ઈંદ્રિયો અને મનના વ્યાપારને જ્ઞાનમાં અવરોધક માન્યાં હોવાથી, અધિજ્ઞાન અને મન:પર્યાયજ્ઞાનને એક વિશિષ્ટ અર્થમાં જ પ્રત્યક્ષ ગ્રહણ કહ્યાં છે. આ વિશિષ્ટ અર્થ તે એ કે, કેવલજ્ઞાનની તૈયારી માટેની પ્રારંભિક અવસ્થાઓ રૂપે આ જ્ઞાનને ગણવામાં આવે છે. સમ્યક્ જ્ઞાનનું નિર્ણાયક તત્ત્વ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy