SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ અને અભિગમ અત્યંત સન્માનભર્યા છતાં તર્કયુક્ત રહે છે. મિથ્યાત્વ, સમ્યક્ જ્ઞાનનું અવરોધક છે. ૧૪૩ સમન્તભદ્રે જ્ઞાનની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે: “વસ્તુનાં પૂર્ણ અને સાચાં સ્વરૂપને યથાવત્, સંશય, વિકૃતિ કે અતિશયોક્તિ વિનાના બાધ તે જ્ઞાન.” જે બાધ આંશિક, અતિશયોકિતપૂર્ણ, વિકૃત કે સંશયયુક્ત હોય તે મિથ્યાજ્ઞાન છે. નેમિચન્દ્ર સિદ્ધાંતચક્રવર્તી એવા મત ધરાવે છે કે પૂર્ણ જ્ઞાન એટલે જીવ અને દ્રવ્યનાં સાચાં સ્વરૂપનો, સંશય, વિમેહ અને વિભ્રમ રહિત, પૂર્ણ બાધ. જૈન દાર્શનિકોએ સાચું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ચાર પ્રમાણા ગણાવ્યાં છે : પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમ. યથાર્થનય પ્રમાણે જ્ઞાન, એ જીવને સ્વાભાવિક ગુણ છે. જીવ જ્ઞાતા છે અને જ્ઞાનના મુખ્ય સ્રોત પણ છે. જ્ઞાન પૂર્ણ છે પરંતુ કર્મના આવરણને કારણે તેની પ્રગાઢતા અને તેનાં તેજને સાક્ષાત્કાર થઈ શકતા નથી. મિથ્યાત્વ અથવા મિથ્યા દર્શનનો જેમાં અભાવ હોય, તે જ પૂર્ણ જ્ઞાન. મિથ્યાત્વ સમજ અને વૃત્તિ બંનેને વિકૃત કરતું હોવાથી, સમ્યક્ જ્ઞાનનું વિરોધી છે. કુન્દકુન્દના મત એવા છે કે જીવનું જ્ઞાન તે જ સાચું જ્ઞાન. આ જ વસ્તુને નકારાત્મક રીતે રજૂ કરતાં તે કહે છે કે જ્ઞાન એટલે ધર્મગ્રંથો, શબ્દ, રૂપ, રંગ, વાસ, સ્વાદ, સ્પર્શ, કર્મ કે દ્રવ્યોમાંનું કાંઈ પણ નહીં. આનું કારણ એ છે કે આ બધાં દ્રવ્યનાં લક્ષણા છે અને જીવનાં સ્વરૂપ સાથે તેમને કોઈ લેવાદેવા નથી. જીવ જ્ઞાતા છે, જ્ઞાન છે, અને તેથી જ્ઞાતાથી જ્ઞાન ભિન્ન નથી. આ જ્ઞાન તે જ સમ્યક્ દર્શન. ' સમ્યક્ દર્શન એ સમ્યક્ જ્ઞાનનું પગથિયું છે. તેથી જ બધા જૈન ચિંતકોએ મનમાંથી મિથ્યા દર્શનને દૂર કરવા માટે વારંવાર કહ્યું છે. મિથ્યાત્વ કાંઈક અંશે વેદાન્તની ‘અવિદ્યા’નું, સાંખ્યદર્શનના અવિવેક'નું અને બૌદ્ધ દર્શનની ‘માયા’નું સ્મરણ કરાવે છે. જૈન ધર્મ વારંવાર કહે છે કે મિથ્યાત્વને દૂર કર્યા વગર સમ્યક્ જ્ઞાનની પ્રાપ્તિ શકય નથી. જીવ વિષે વિચાર કરતાં આપણે વ્યવહાર નય અનુસાર જ્ઞાનના પ્રકારો જોયા હતા. જ્ઞાન સ્વમવજ્ઞાન (કુદરતી) અને વિમાવજ્ઞાન (અકુદરતી) એમ બે પ્રકારનું હોઈ શકે. સ્વભાવજ્ઞાન પૂર્ણ છે અને તેની પ્રાપ્તિમાં કોઈ પણ બાહ્ય વસ્તુની જરૂર પડતી નથી. જ્ઞાનાવરણીય કર્મની પ્રવૃત્તિને લીધે લોકોને સ્વભાવજ્ઞાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy