SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ થતું નથી. બાહ્ય અથવા બીજી કોઈ રીતે પ્રાપ્ત થએલું જ્ઞાન તે વિભાવજ્ઞાન ગણાશે. વિભાવજ્ઞાન બે પ્રકારનું છે : તે સાચું જ્ઞાન હોઈ શકે અથવા મિથ્યાજ્ઞાન હોઈ શકે. આમ જ્ઞાનના આઠ પ્રકાર છે જેને વિષે થોડું પહેલાં કહેવાઈ ગયું છે. પ્રકરણ બીજાંમાં દર્શાવ્યા પ્રમાણે જ્ઞાનપ્રાપ્તિનાં સાધનોના સંદર્ભમાં જ્ઞાન પાંચ પ્રકારનું છે. પાંચ ઇન્દ્રિયો અથવા મન દ્વારા પ્રાપ્ત થએલું જ્ઞાન તે મતિજ્ઞાન. જ્યારે ધર્મગ્રંથો દ્વારા પ્રાપ્ત થએલું જ્ઞાન તે શ્રુતજ્ઞાન. મતિજ્ઞાન, અસ્તિત્વ ધરાવતી વસ્તુઓ પૂરતું મર્યાદિત છે તે શ્રુતજ્ઞાન, વર્તમાન, ભૂત અને ભવિષ્યકાળની સઘળી ઘટનાઓને આવરી લે છે. ધર્મગ્રંથોમાં આ ઘટનાઓનું પ્રતિપાદન થયું જ હોય છે. અવધિજ્ઞાન એટલે દૂરના ભૂતકાળનું જ્ઞાન. જેમણે વિચારોની શુદ્ધિ પ્રાપ્ત કરી હોય અને તપશ્ચર્યા દ્વારા પોતાની માનસિક શકિતઓને વિકાસ સાધ્યો હોય, તેને જ આવું જ્ઞાન પ્રાપ્ત થાય છે. સ્વર્ગના અને નારકી જીવો પણ આ જ્ઞાન ધરાવે છે. ચોથા પ્રકારનું જ્ઞાન તે મન:પર્યાયજ્ઞાન એટલે બીજાના વિચારોનું જ્ઞાન. પોતાની જાતને જેમણે વશ કરી હોય તેઓ આ પ્રકારનું જ્ઞાન ધરાવે છે. છેલ્લું જ્ઞાન તે કેવલજ્ઞાન. આ જ્ઞાનનો ઉદય તીર્થકરો અથવા પૂર્ણ જીવોમાં જ થાય છે. મોક્ષમાર્ગ માટે સૌથી વધારે મહત્ત્વનું અને અત્યંત જરૂરી હોય, તે તે કેવલજ્ઞાન છે. સમ્યક દર્શનની પ્રાપ્તિ થતાં, ધર્મગ્રંથોનું અધ્યયન કરીને અને તેના સિદ્ધાંતને શ્રદ્ધાપૂર્વક સ્વીકારીને જૈન દર્શનને પચાવવું જોઈએ. જીવની પ્રગતિ કરાવે એ પ્રત્યેક સિદ્ધાંત યથાર્થ અને પૂર્ણ રીતે સમજે જોઈએ અને બધા ખોટા ખ્યાલ તેમ જ સંશયો દૂર કરવા જોઈએ. આવું જ્ઞાન જ આપણા વિચારો અને વાણીનું પ્રેરક બળ હોવું જોઈએ. પૂર્ણ જ્ઞાન જીવના સ્વભાવમાં જ છે પણ જ્ઞાનાવરણીય કર્મને લીધે તે અસ્પષ્ટ થયું છે. કર્મોના ઉપશમ કે ક્ષય દ્વારા જ આંશિક કે પૂર્ણ સમ્યક્ જ્ઞાન મેળવી શકાય. સમ્યગ દર્શન થાય તે જ સમયે સમ્યક જ્ઞાન થતું હોવા છતાં બંનેનાં ઉદય અને પ્રગતિને બાધક કર્મો જુદાં જુદાં છે. બંને પ્રકારનાં કર્મોની પાછળ મિથ્યાત્વ છે પણ દર્શનાવરણીય કર્મ, સમ્યક દર્શનને અસ્પષ્ટ કરતું આવરણ છે. સમ્યકત્વ અથવા સમ્યગ્દર્શન શી રીતે પ્રાપ્ત થઈ શકે તે વિષે આગળ ચર્ચા થઈ ગઈ છે. સમ્યકત્વ સમ્યક જ્ઞાનને પ્રાણ છે. જ્ઞાનવરણીય કર્મને જેટલા પ્રમાણમાં ક્ષય થતું જાય, તેટલા પ્રમાણમાં સમ્યકજ્ઞાનનાં પરિમાણ અને તેજસ્વિતા વધે છે. કર્મને સંપૂર્ણ ક્ષય થતાં, સર્વજ્ઞત્વનું તેજસ્વી જ્ઞાન થાય છે. બધાં વાદળાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy