SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૧ સક્તિ અને બ્રહ્મચર્ય. આપણે પ્રયત્ન આત્મસુધારણા માટે હોવો જોઈએ. બીજાની નિંદા કરવી કે છિદ્રો જોવાં તે માનસિક તંદુરસ્તીની નિશાની નથી તેમ સાચી વૃત્તિ સાથે સુસંગત પણ નથી. કષાયો ઉપર વિજય મેળવીને અને વધુ જ્ઞાન પ્રાપ્ત કરીને આપણે પ્રામાણિક માર્ગથી વિમુખ થતાં અટકી શકીએ. જૈનધર્મ અનુસાર સમ્યકત્વ નીતિશાસ્ત્રને પાયો છે. શ્વેતાંબરોના મતે સૌથી વધુ પ્રાચીન આગમ એવા ઉત્તરાધ્યયનસૂત્રમાં સમ્યકત્વ શી રીતે પ્રાપ્ત કરી શકાય અને શી રીતે કેળવી શકાય તે વિષે સંક્ષેપમાં સૂચન કર્યું છે. સમ્યક્ત્વનાં પ્રાપ્તિસ્થાન દશ છે: (૧) નિ એટલે કે જીવનાં સ્વરૂપને અને સાંસારિક જીવનમાં તેની સાથે સંકળાએલા સિદ્ધાંતને સમજવા માટે મનને સહજ પ્રયાસ. (૨) કવેશ (૩) આજ્ઞા (ધર્મશાસ્ત્રને ઉપદેશ) (૪) સૂત્ર અંગે અને બીજા પવિત્ર ગ્રંથોનું અધ્યયન (૫) વીર (જે જાણીતું છે તેના પરથી તર્કશુદ્ધ અનુમાન કરી જાણવું) (૬) ઉમામ (પવિત્ર વિદ્યાનો અર્થ સમજવો) (૭) વિસ્તાર (વિસ્તૃત અધ્યયન) (૮) fક્રયા ચારિત્ર્યના નિયમોનું પાલન (૯) સંક્ષેપ અને (૧૦) ઘર્મ. આ જ વાત કાંઈક વધારે વિગતવાર અને થોડા સુધારા સાથે ગુણભદ્ર કહી છે. સમ્યક્ દર્શનને તેમણે બે પ્રકારનું ગણાવ્યું છે : નિસગ અને વિરમગ. પહેલું સ્વયંભૂ અને સ્વયંપ્રેરિત હોય છે જ્યારે બીજે ઉપદેશ, અધ્યયન અને માર્ગદર્શન દ્વારા પ્રાપ્ત થાય છે. કમને ઉપશમ કરવાની જરૂર છે અને કષાય પર વિજ્ય મેળવવાની જરૂર છે તે વિષે ઉપર કહેવાઈ ગયું છે. તે પછી સમ્યક દર્શનનાં દશ પ્રાપ્તિસ્થાન તેઓ ગણાવે છે : (૧) માજ્ઞા એટલે કે કષાયરહિત સંતોને ઉપદેશ. (૨) મા એટલે ક્ષણિક સંબંધો અને આસકિતઓથી મુકત એવા શાશ્વત, શાંતિમય મોક્ષમાર્ગમાં શ્રદ્ધા. આ પ્રકારની શ્રદ્ધા મેહનીય કર્મોના નાશમાંથી ઉદય પામે છે. (૩) ઉદ્દેશ એટલે પૂર્વે થઈ ગએલા સંતોના ઉપદેશથી તેમજ સમ્યક જ્ઞાનથી પૂર્ણ ધર્મગ્રંથરૂપી સાગરમાંથી પ્રાપ્ત થએલી સૂકિતમાંથી ઉદય પામતી શ્રદ્ધા. (૪) સૂત્ર શ્રદ્ધાનું બીજું ઉત્પત્તિસ્થાન છે. સાધુઓ માટે નક્કી થએલા આચાર અને ધાર્મિક અનુશાસન પ્રમાણેના સાધુઓના નિયમોનું અધ્યયન કરતાં નવાં જ્ઞાન અને સમજણ ઉત્પન્ન થાય છે. (૫) વીર એટલે દ્રવ્યો અને પદાર્થોનાં જ્ઞાનમાંથી ઉત્પન્ન થતી શ્રદ્ધા. દ્રવ્યો કે પદાર્થોનું જ્ઞાન મેળવવું અઘરું છે પણ ધીરજપૂર્વક પ્રયત્ન કરવાથી અને વિકૃત શ્રદ્ધાનું ઉપશમન થવાથી આ જ્ઞાન મેળવી શકાય છે. (૬) સંક્ષેપ એટલે સ્તુત્ય વ્યક્તિઓમાં શ્રદ્ધા. સિદ્ધાંતે અત્યંત સંક્ષિપ્ત રીતે રજૂ કરવામાં આવ્યા હોય, તે પણ તેમાં શ્રદ્ધા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy