SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ આપણા મનમાં (આપણા ધર્મ પ્રત્યે) શંકા પ્રેરે છે. મન જ્યારે સંતપ્ત હોય, ત્યારે દુઃખ અને આપત્તિઓ આપણાં મિથ્યાત્વમાં વધારો કરે છે, કારણ કે રસ ધરાવતી વ્યકિત, ખોટાં દેવદેવીઓને પૂજા કે નૈવેદ્ય ધરાવવાથી મનુષ્યનાં દુઃખ દૂર થાય છે એવો પ્રચાર કર્યા કરે છે. કર્મના નિયમની અટળતામાં પોતાની શ્રદ્ધાની દઢતાની ચકાસણી કરવાનો આ યોગ્ય પ્રસંગ હોય છે. આપણી સમજશકિત મર્યાદિત હોવાથી, જીવનમાં ઘણી વસ્તુઓ ઉપર વિશ્વાસ રાખી આપણે તેમને સ્વીકારી લેવી પડે છે. સામાન્ય વ્યવહારમાં પણ જુદા જુદા વિષયોમાં જુદી જુદી સિદ્ધિ મેળવેલી વ્યકિતઓને આપણે જોઈએ છીએ. ધર્મ અને આધ્યાત્મિકતાને પ્રયત્નપૂર્વક અને નિષ્ઠાપૂર્વક અનુસરવાં જોઈએ. ધર્મગ્રંથમાં વર્ણવેલાં, તીર્થ કરો અને એમનાં લક્ષણો કે એવા બીજા વિષયો માની લીધા વગર આપણે ધર્મના અધ્યયનમાં પ્રગતિ કરી શકીએ નહીં આનો અર્થ એ નથી તમે પ્રશ્ન પૂછી જ ન શકે. આપણો સામાન્ય અનુભવ એવો છે કે જે વસ્તુઓ આપણી સમજ બહાર હય, તે પણ, આપણાં અધ્યયન અને વિચારની પ્રક્રિયાઓ આગળ વધતાં સ્પષ્ટ થતી જાય છે. જ્ઞાનનાં દ્વારા આપણે માટે એકાએક ખુલી જતાં નથી. ભકિતપૂર્વકનું અધ્યયન બધા સંશયો દૂર કરી, ખંતીલા જિજ્ઞાસુને જ્ઞાનને નવ પ્રકાશ આપે છે. કેટલીક વખત આચાર્ય કે વધુ જ્ઞાની વ્યકિતઓ આપણા સંશયને દૂર કરે છે. આમ પહેલાં જે અદશ્ય હતું તેને જ્ઞાનને પ્રકાશ, મનના અંધકારભર્યા ખૂણાઓને અજવાળીને દશ્ય બનાવે છે. અનેકાન્તવાદના સિદ્ધાંત પ્રમાણે પ્રત્યેક વસ્તુનું આપણે વિવિધ દૃષ્ટિબિંદુઓથી પરીક્ષણ કરવું જોઈએ, અને સત્યનું અન્વેષણ કરવું જોઈએ. તત્ત્વવિદ્યાના પ્રશ્નો સ્વાભાવિક રીતે જ દુર્બોધ હોય છે. આપણે ખુલ્લું મન રાખીને પરીક્ષા કરવી જોઈએ અને મિથ્યા સિદ્ધાંત કે ધર્મગ્રંથો પર આધાર ન રાખવો જોઈએ. બદલાની આશા રાખે એવી શ્રદ્ધા કે એવાં દર્શનને સમ્યક દર્શન ન કહી શકાય. સાચે શ્રદ્ધાળુ રાજકુળમાં જન્મ લેવાની ઇચ્છા નહીં રાખે કે સત્તા અને સંપત્તિની પ્રાપ્તિની આશા પણ નહીં રાખે. આ બધી વસ્તુઓ કર્મફળરૂપે મળે છે. ભૂખ, દરિદ્રતા, રોગ, ગંદકી, જેવી સ્વાભાવિક વસ્તુઓ તરફ ધૃણા ન સેવવી જાઈએ. જીવની દિવ્યતામાં દઢ શ્રદ્ધા રાખવી જોઈએ. કષાયોને અવકાશ આપ્યા વગર, દશ ગુણો આચરવાથી સમ્યકત્વને વિકાસ થાય છે. આ દશ ગુણો આ પ્રમાણે છે : ક્ષમા, મૃદુતા, ઋજુતા, શુદ્ધિ, સત્ય, સંયમ, તપ, દાન, અના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy