SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૯ માટે પ્રેમ કે રુચિ ન હોવાં જોઈએ. (નિડviાતમ્) (૩) વિવિઝિસ. દેહ, રોગ અને અશુદ્ધિઓથી ભરેલો હોવા છતાં તેના પ્રત્યે ધૃણાભર્યું વલણ રાખવાને ઈન્કાર. આવું વલણ ત્રણ રત્નોની પ્રાપ્તિમાં મદદરૂપ થાય છે. (૪) અમૃતવૃષ્ટિ એટલે વિકૃતિ અને અંધશ્રદ્ધામાંથી મુકિત. નાસ્તિક અને મિથ્યા દર્શનમાં કોઈએ શ્રદ્ધા રાખવી જોઈએ નહીં. (૫) ૩૫ઘન – બીજાની મુર્ખાઈ કે નિર્બળતાને કારણે ધર્મની પ્રતિષ્ઠા જોખમાય ત્યારે આધ્યાત્મિક ઉન્નતિ જાળવી રાખવી અને મોક્ષમાર્ગનું ગૌરવ જાળવી રાખવું. પવિત્ર પુરુષોની પ્રશંસા કરવી પણ ધર્મ માટે પ્રયત્નશીલ મનુષ્યો ભૂલ કરે તે તેમની નિંદા ન કરવી. (૬) સ્થિતિવાળા બીજાં મનુષ્યો જ્યારે ઉન્માર્ગે જતાં હોય, ત્યારે ધાર્મિક સત્યોને ઉપદેશ આપીને કે તેનું સ્મરણ કરાવીને તેમને સમ્યક ચારિત્રના માર્ગ પર પુન:પ્રતિષ્ઠિત કરવાં. (૭) વાત્સલ્ય સહધર્મીઓ પ્રત્યે પ્રેમ દર્શાવવા અને આધ્યાત્મિક માર્ગે જેમણે પ્રગતિ કરી છે, તેમના પ્રત્યે આદર અને ભક્તિ ધરાવવાં તેમજ સભ્યતાપૂર્વક તેમને આવકારી તેમની સગવડોનું ધ્યાન રાખવું. (૮) કમાવનાધાર્મિક ઉત્સવો અને દાનનું આયોજન કરી, ધર્મનાં મહત્ત્વનું પ્રતિપાદન કરી, લોકોને મિથ્યાચાર અને મિથ્યા દર્શનમાંથી રોકવા. જૈન ધર્મના સિદ્ધાંતો અને ધર્મગ્રંથનું મહત્ત્વ દર્શાવવા પ્રયત્ન કરવો જોઈએ. આ આઠ અંગે અથવા સમ્યક દર્શનના ભાગે મનુષ્યને સર્વજ્ઞના, સાચા ધર્મ વિષેના, અને ઉપાધ્યાયને સાચા ગુણ વિશેની શંકાઓમાંથી મુકત રાખે છે. આ અંગેનું પાલન કરનારી વ્યકિતએ ભકિતપૂર્વક આ માર્ગ પર ચાલવાનું છે અને તેમાં પતનની શકયતાઓ કયાં છે તે પણ સમજવાનું હોય છે. પોતે જાતે આધ્યાત્મિક ઉન્નતિ મેળવ્યા પછી, ઉન્માર્ગે ગએલા સહધર્મીઓને ગુસ્સે કરે એવું કશું તેણે કરવાનું હોતું નથી, પણ સલાહ અને સમજાવટથી તેમને સન્માર્ગે વાળવાના હોય છે, તેમજ નિંદાથી તેમને બચાવવાના છે. પોતાના ધર્મને અપયશ અપાવે એવું કશું તેણે કરવાનું હેતું નથી. પવિત્ર અને પુણ્યશાળી આત્માને ભકિતભાવપૂર્વક સન્માનવા જોઈએ, જેથી તેમના તેમજ તેમના આધ્યાત્મિક આચારથી પ્રભાવિત થએલા બીજાના ગુણોનું ચિંતન કરી શકાય. જિનના સિદ્ધાંતને ઉપદેશ અને ઉદાહરણ દ્રારા યથાશકિત ફેલાવવો જોઈએ. સમ્યગ દર્શનની પ્રાપ્તિમાં મન સામે કેવા સંશય આવે તે અમૃતચંદ્ર સૂરિએ દર્શાવ્યું છે. સમજવાની આપણી શકિતની મર્યાદાને કારણે સંશય ઊભા થાય છે. બીજા ધર્મો પાળતા અને બીજા ધર્મોના ગુણ ગાતા મિત્રો કે પડોશીઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy