SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ પ્રતિપાદન કરે છે. કોઈકે શ્રદ્ધા અને ભક્તિના માર્ગનું પ્રતિપાદન કર્યું, તે કોઈકે જ્ઞાનને જ સર્વશ્રેષ્ઠ માની તે પર ભાર મૂકો. ત્રીજી શાખાએ કાર્ય અથવા આચાર પર ભાર મૂકે. આ વિષયને જૈન ધર્મ બે દષ્ટિબિંદુઓથી જુએ છે: (૧) વ્યવહારનય એટલે કે વ્યાવહારિક દૃષ્ટિબિંદુ અને નિશ્ચયનય અથવા સત્ય દષ્ટિબિંદુ. સત્યની પરિભાષા સમજવી આપણામાંના ઘણાખરા માટે અત્યંત મુશ્કેલ છે. તેને સમજવા માટે, આપણે જેનાથી ટેવાયાં છીએ તે વ્યાવહારિક દષ્ટિબિંદુથી પ્રચલિત અભિવ્યકિતનો તેમજ અનુભવ કે પદાર્થોનાં સામ્યને આશ્રય લઈશું. પરમ સત્યનું પ્રતિપાદન કરવું તે આપણાં સમજ અને અનુભવની ઉપરવટ હોય છે. ઉમાસ્વામીએ એક અત્યંત સુંદર સૂત્રમાં કહ્યું છે: “સમ્પર્શનવિજ્ઞાનવારિત્રાળ મોક્ષમr :–” “સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર-ત્રણ મળીને મોક્ષમાર્ગ બને છે.” સૂત્રમાંને “સમ્યક’ શબ્દ માત્ર ‘દર્શન'નું જ નહીં પણ “જ્ઞાન” અને “ચારિત્ર'નું પણ વિશેષણ છે. આ ત્રણને જૈન ચિંતકો “રત્નત્રય' કહે છે. કુંદકુંદાચાર્યની કૃતિઓ, ખાસ કરીને નિયમસાર વિગતવાર તેનું નિરૂપણ કરે છે. આચાર્ય અમૃતચન્દ્રનાં પુરુષાર્થસિદ્ગવાય નામનાં પુસ્તકને વિષય પણ રત્નત્રય જ છે. પ્રત્યેક જૈન ધર્મગ્રંથ આ વિષયનું નિરૂપણ કરે છે કારણ કે તે જ મેક્ષમાર્ગને સાર છે. તે એમ પણ સ્પષ્ટ કરે છે કે જેઓ આ માર્ગનાં સામર્થ્યમાં શ્રદ્ધા રાખતા નથી, તેમને માટે પ્રગતિની કોઈ આશા નથી. જ્ઞાન કરતાં દર્શનને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું તે વિશે બે શબ્દો કહેવા જરૂરી છે. કોઈ એવી દલીલ કરી શકે કે દર્શન કરતાં જ્ઞાન પહેલું આવવું જોઈએ, કારણ કે જ્ઞાન વિનાનું દર્શન અંધશ્રદ્ધા છે. સાચી શ્રદ્ધાના મૂળમાં જ્ઞાન હોવું જ જોઈએ. જીવમાં એક સાથે દર્શન અને જ્ઞાનનો ઉદય થઈ શકે. પણ દર્શન પ્રથમ આવે છે કારણ કે જ્ઞાનપ્રાપ્તિની ઇચ્છાને ઉદય દર્શનમાંથી જ થાય છે. દઢ શ્રદ્ધા જ્ઞાન સાધનાની પ્રોત્સાહક છે. દર્શનમાં મનુષ્યની માનસિક સમતુલાને ક્ષુબ્ધ કરે તેવાં ભ્રામક તર અને શંકાઓના નિરાસ કરવાની ઇચ્છા આવી જ જાય છે. જ્ઞાનપ્રાપ્તિને તે સાર્થક બનાવે છે, તેને માર્ગ બતાવે છે અને ચારિત્રયને ઘડે છે. નિશ્ચયનયના દૃષ્ટિબિંદુથી જોતાં આપણે સ્વીકારવું પડશે કે સર્વજ્ઞ જીવ પોતે બધા ગુણો ધરાવે છે. આ વિશુદ્ધ અને પૂર્ણ જીવ કર્મબંધનોથી મુક્ત છે અને ભૌતિક દ્રવ્યની અશુદ્ધિઓ તેને સ્પર્શતી નથી. જીવ આનંદમય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy