SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૭ છે અને બધી આંદોલનક્રિયાથી મુક્ત છે. જીવ પોતે જ સમ્યક જ્ઞાન છે. મનુષ્યનાં સાચાં જ્ઞાન અને ચારિત્ર જીવમાં જ કેન્દ્રિત થયાં છે. આવો જીવ ચિંતન અને સમાધિનું મધ્યબિંદુ છે. શુદ્ધ જીવ સર્વજ્ઞ છે અને તેથી વિશ્વનાં રહસ્યને તેમજ જીવનનાં નિયામક મૂળતત્ત્વને પામી શકે છે. સર્વજ્ઞ તીર્થકરોએ જે કાંઈ પ્રતિપાદિત કર્યું તેના પર બધા ધર્મગ્રંથો આધારિત છે. આ ધર્મગ્રંથોને જીવન અને ચારિત્રના પાયામાં રાખવામાં ન આવે ત્યાં સુધી સાચું સુખ મળતું નથી. આથી જ કહયું છે કે નિશ્ચયનય પ્રમાણે ત્રણ રને શુદ્ધ જીવમાં જ કેન્દ્રિત થયાં છે. વ્યવહારમાં રાજાની સેવા કરી જે વ્યકિત ધન પ્રાપ્ત કરવા ઇચ્છે, તેણે રાજામાં શ્રદ્ધા રાખવી જ જોઈએ, તેનાં સત્તા અને સંપત્તિને જાણવાં જોઈએ અને સમગ્ર સેવાકાળ દરમ્યાન એવું વર્તન રાખવું જોઈએ, જે તેનું સાંસારિક ધ્યેય પ્રાપ્ત કરવામાં મદદરૂપ નીવડે. આ જ પ્રમાણે નિશ્ચયનયમાં શુદ્ધ જીવને રાજા જાણવો. તેનામાં પૂર્ણત્વના બધા ગુણો મૂર્ણ થએલા માનવા અને તેનાં સ્વરૂપ પર ધ્યાન કેન્દ્રિત કરી તેનું જ ચિંતન કરવું. વ્યાવહારિક દૃષ્ટિકોણ પ્રમાણે દેહધારી જીવે રત્નત્રયને માર્ગે ચાલવું જોઈએ. જેથી સૂક્ષ્મ કર્મદ્રવ્યને બનેલો દેહ પૂર્ણત્વપ્રાપ્તિમાં વિદનરૂપ ન થાય. સમ્યક દર્શન સૌપ્રથમ સમ્યકત્વનો અર્થ સમજવો અત્યંત જરૂરી છે. આચાર્ય સમતભદ્ર તેની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે : “ તના અર્થમાં, અહં તમાં, ધર્મગ્રંથમાં, ત્રણ પ્રકારના અંધવિશ્વાસથી અને આઠ પ્રકારના માનથી મુકત એવા સંતેમાં શ્રદ્ધા”. જૈન ધર્મના વિચાર પ્રમાણે ઈશ્વર એટલે શુદ્ધ, પૂર્ણ જીવ જે અનંત જ્ઞાનને કારણે સર્વજ્ઞ છે તેમજ આનંદમય છે. ઉમાસ્વામીએ સમ્યક દર્શનની વ્યાખ્યા આપતાં કહ્યું છે કે “દ્રવ્યોનાં સાચા સ્વરૂપમાં શ્રદ્ધા” (તસ્વાર્થશ્રદ્ધાનું સગવનમ્). નવ પદાર્થોમાં ગાઢ શ્રદ્ધાને સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રની પૂર્વાવશ્યકતા માની છે. વીતરાગ અથવા જિનમાં, ધર્મગ્રંથોમાં, નવ તત્તમાં, અને આચાર્યમાં રહેલી શ્રદ્ધા, શંકા અને અજ્ઞાનથી મુક્ત હોવી જોઈએ. સાંસારિક જીવમાં માત્ર સમનસ્ક અને કપાયરહિત મનુષ્યોમાં જ સમ્યક દર્શનને ઉદય થાય છે. કેટલાક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy