SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨. જીવો, જેમનામાં સુષુપ્ત ગુણેની જાગૃતિ છે અને (૨) અભવ્ય જીવે, જેમનામાં આવી જાગૃતિ નથી. ગુણસ્થાનની વ્યવસ્થા કૃત્રિમ નથી પરંતુ વૈજ્ઞાનિક છે. મુકિતનું મુખ્ય કારણ દેહ, મન, અને વાણીની પ્રવૃત્તિઓનું દમન અને આંતર તપ છે. સ્વાભાવિક રીતે જ ઉત્ક્રાંતિને પંથ અજ્ઞાન કે મિથ્યા દર્શનની અવસ્થાથી શરૂ થાય છે. આ પ્રથમ અવસ્થામાં મનુષ્ય વિકૃત અને અંધશ્રદ્ધાળુ માન્યતાઓમાં ફસાએલ રહે છે. જીવ દેહથી ભિન્ન છે એવા સત્યથી તે અજાણ છે અને માને છે કે દેહના આનંદ કે ભૌતિક પરિગ્રહ જીવનના ધ્યેય અને ઉદ્દેશ છે. બીજી અવસ્થા ખરું જોતાં વિકાસની અવસ્થા નથી. કર્મને કારણે ઊંચી અવસ્થામાંથી ટ્યુત થએલા જીવને રોકાઈ જવાની આ જગ્યા છે, અથવા તે મિથ્યાત્વમાં રહેલા જીવને સમ્યકત્વની હેજ, અસ્પષ્ટ ઝાંખી થાય છે. ત્રીજી અવસ્થા સમ્યકત્વ અને મિથ્યાત્વ વચ્ચેની ડામાડોળ સ્થિતિ છે. મનને સમ્યક દર્શનની ઝાંખી થઈ હોય છે પરંતુ લાંબા સમય સુધી તે સમ્યકત્વને વળગી રહેતો નથી. તે સમ્યક અને મિથ્યા દર્શને વચ્ચે ઝોલાં ખાય છે. ચોથી અવસ્થામાં મનુષ્ય સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું હોય છે. આ નિઃશંક વિકાસની અવસ્થા છે કારણ કે મનુષ્ય સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર વિશે સભાન થતું જાય છે. તેણે સંયમ પ્રાપ્ત કર્યો હોતા નથી કારણ કે કષાયો અને દર્શનાવરણીય કર્મોને ઉપશમ, વિયોગ કે ક્ષય થયો હોતા નથી. આમ પ્રથમ ચાર કક્ષાએમાં મનુષ્ય મિથ્યાત્વમાંથી સમ્યકત્વ તરફ જઈને વિકાસ સાધે છે પણ તેનામાં સંયમ હોતો નથી. પાંચમીથી સાતમી કોટિ સુધીની ત્રણ કક્ષાઓ પૂર્ણ સંયમની ઉત્ક્રાંતિ અને વિકાસ માટેની છે. ચોથાં ગુણસ્થાનમાં સમ્યક્ દર્શન પ્રાપ્ત કર્યા પછી મનુષ્ય પોતાના કપાયા પર પ્રભુત્વ મેળવવા પ્રયાસ શરૂ કરે છે, અને અંશત: સંયમ મેળવે છે. આ આંશિક સંયમ સાથે તે આગળ વધે છે, અને પૂર્ણ સંયમ મેળવવા તે પ્રયાસ શરૂ કરે છે પણ પ્રમાદને કારણે તેના પ્રયાસ નિષ્ફળ જાય છે. કષાય અને લાગણીઓથી તે કાંઈક રંજિત થાય છે અને આધ્યાત્મિક સ્થિરતાની દશામાં રહે છે. ૭માં ગુણસ્થાનની સ્થિતિ સંયમ મેળવવાની સફળતાની સૂચક છે. આગલી અવસ્થાઓની આધ્યાત્મિક સ્થિરતા તેની પાસે ટકી શકતી નથી. દેહની અપૂર્ણતાઓ પર વિજય મેળવવાનું આધ્યાત્મિક બળ હવે તે ધરાવતો થાય છે. કર્મોનો વિનાશ કે શમન કરવાની શક્તિ પર આગળનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy