SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૧ બને છે અને તેને સૃષ્ટિનું પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય છે. અજ્ઞાનનો નાશ થયો હોય છે. ઘાતિ કર્મને નાશ થયો હોવાથી, નવ શુદ્ધ વિચારપ્રવૃત્તિઓ પ્રાપ્ત થવાથી પરમાત્મદશાએ પહોંચ્યો હોય છે. નવ કેવલ લબ્ધિઓ આ પ્રકારની હોય છે: (૧) ક્ષયિક જ્ઞાન એટલે જ્ઞાનાવરણીય કર્મોને નાશ થવાને કારણે શુદ્ધ અથવા પૂર્ણ જ્ઞાન (૨) ક્ષય વન એટલે દર્શનાવરણીય કર્મોને ક્ષય થવાને કારણે પૂર્ણ દર્શન (૩) ક્ષચિવ દ્વાન એટલે દાનાતરાયકર્મને નાશ થવાને કારણે પૂર્ણ દાન (૪) ક્ષધિ સ્ટમ એટલે લાભાન્તરાય કર્મને નાશ થવાને કારણે પૂર્ણ લાભ (૫) ક્ષચિ ભોગ એટલે મોજાન્તરય કર્મના નાશને કારણે ઉપભોગ થઈ શકે એવી વસ્તુઓને પૂર્ણ ભાગ (૬) ક્ષશિવ સમો એટલે ઉપભોગાન્તરાય કર્મના નાશને કારણે ઉપભેગ કરી શકાય એવી વસ્તુઓનો ઉપભેગ (૭) ક્ષય વીર્થ એટલે વીતરાય કર્મનો ક્ષય થવાને કારણે પૂર્ણ બળ (૮) ક્ષય સમ્પર્વ એટલે દર્શનમેહના વિનાશને કારણે પૂર્ણ સમ્યકત્વ (૯) ક્ષય રાત્રિ એટલે ચારિત્ર્યમહના નાશને કારણે સંપૂર્ણ ચારિત્ર. પહેલાં કહ્યું છે તે પ્રમાણે આધ્યાત્મિક પૂર્ણતાની આ કોટિમાં દેહ, મન અને ઇન્દ્રિયો સાથે સંબંધ ચાલુ છે. બધાં પ્રાણીઓને ધર્મને ઉપદેશ આપતે અહંત પરમેષ્ઠી સયોગ કેવલીનું ઉદાહરણ છે. ૧૪. ગોવરી દેહ, મન અને વાણીના યોગ–(પ્રવૃત્તિઓ)-ફેંકાઈ ગયા હોવાથી, પવિત્ર દેહના આંદોલનોનો અંત આવે એવી આ મેક્ષની અવસ્થા છે. સર્વોપરી પૂર્ણતાની આ સિદ્ધાવસ્થા છે. આ કક્ષાએ સર્વજ્ઞ ભગવાને પોતાને વળગી રહેલા આસ્ત્ર પૂર્ણ રીતે રોકી લીધા હોય છે અને આંદોલનક્રિયાનો નાશ કર્યો હોય છે. જીવ આઠ પ્રકારનાં કર્મોથી સંપૂર્ણ રીતે મુક્ત હોય છે અને શાશ્વત આનંદમય અવસ્થાને પ્રાપ્ત કરે છે. પૂર્ણ મુકત થઈને જિન સૃષ્ટિને શિખરે પહોંચે છે. એના નિવાસને સિદ્ધશિલા કહે છે. મુક્ત જીવે ત્યાં શુદ્ધિ અને શાંતિમાં જીવે છે. સામાન્ય વાચકોને, અજ્ઞાનની અવસ્થામાંથી પૂર્ણત્વની અવસ્થા સુધીના આધ્યાત્મિક વિકાસની તર્કસંગત પદ્ધતિને ફરી એક વાર ટૂંકમાં જોઈ જઈશું તે રસપ્રદ થઈ પડશે. આ વિશાળ વિશ્વમાં અનંત જીવો છે; તેમનામાંના કેટલાક ઇન્દ્રિયગોચર હેતા નથી. અત્યારે પૂરતું તે જીવના બે ભાગ પડે છે. (૧) ભવ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy