SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ બધો કાદવ તળિયે જમા થઈ ગયો હોય છે. તેવું જ આ અવસ્થામાં છે. ઊર્ધ્વગમન કરતા જીવે ઉપશમશ્રેણિ પ્રાપ્ત કરી હોય છે. ક્ષપકશ્રેણિ જેણે પ્રાપ્ત કરી હોય તે જીવે આ શ્રેણિ પસાર કરવાની જરૂર રહેતી નથી. કર્મોને ઉપશમ થયો હોય પણ ક્ષય ન થયો હોય એવી અવસ્થામાં જીવ હોવાથી કષાયો ફરી જાગૃત થાય એવી નીચી કક્ષામાં જીવ ઉતરી જાય એ ઘણું સંભવિત હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો મોહનીય કર્મોના અંકુશને કારણે પ્રાપ્ત થએલી માનસિક સ્થિતિ બદલાઈ જાય અને ફરી કર્મો કરવા જીવને પ્રવૃત્ત કરે એ સંભવિત હોય છે. આ અવસ્થામાં જીવ છદ્મસ્થ એટલે મેહનીય કર્મ સિવાયનાં બીજાં કર્મોની અસરથી ઘેરાએલો હોય છે. આસકિત પણ અંકુશમાં આવેલી હોય છે. કર્મો અંકુશમાં આવેલાં હોવાથી જીવ આનંદ અનુભવે છે. અને તેથી આ અવસ્થામાં તે વધુમાં વધુ એક અંતમુહૂર્ત સુધી રહે છે. હજી સુધી મેહનીય કમેને સંપૂર્ણ ક્ષય થયો તે નથી તેથી તે પ્રકારનાં કર્મોને ક્ષય કરવા તે બળ મેળવે છે. ૧૨. લીગનો આ અવસ્થામાં પરિગ્રહરહિત સંતે (નિર્ગથે) પોતાનાં બધાં મેહનીય કર્મોને નાશ કર્યો હોવો જોઈએ. સ્ફટિકમણિના પાત્રમાં રહેલાં પાણીની જેમ તેના વિચારો શુદ્ધ હોય છે. જીવ જ્યારે આ અવસ્થાએ પહોંચ્યો હોય છે ત્યારે વિચારપ્રવૃત્તિ દેહને શુદ્ધ કરે છે અને તેને અત્યંત સુંદર રૂપમાં (પરમ ઔદરિકરૂપમાં) ફેરવી દે છે તેમ જ બીજાં ઘાતિકર્મને (જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મોનો) ક્ષય કરે છે. મોહનીય કર્મોનો નાશ થઈ ચુક્યો હોય છે. આ અવસ્થામાં કષાયો નષ્ટ થયા હોય છે. આ અવસ્થા અને આગલી અવસ્થામાં ફેર એ છે કે આગલી અવસ્થામાં જીવ ઉપશમની શ્રેણિમાં હોય છે તો આ અવસ્થામાં ક્ષપકશ્રેણિ પર હોય છે. તે એક અંતર્મુહર્ત માટે ત્યાં રહે છે અને પછી ઘાતિકને વિનાશ થાય તે રીતે આગળ વધે છે. ૧૩, સોવણી આગલી દશામાંથી જીવ સર્વજ્ઞની દશામાં આગળ વધે છે પણ હજી તેણે ઘાતિકને ક્ષય કરવાનું હોય છે તેથી એ કેવલી છે પણ ક્રિયા સાથે (સયોગ) છે. દેહ, મન અને વાણીની પ્રવૃત્તિઓ હજી ચાલુ રહે છે. જીવ અહીં અહંત બને છે; વાદળાંમાંથી મુકત બનેલા સૂર્યની જેમ જીવ તેજસ્વી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy