SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ આયુષ્કર્મ હજી પ્રવર્તતું હોય છે. કવિચત્ ઉદય પામતા કષાયની પ્રવૃત્તિને શમાવવામાં કે તેમને ક્ષય કરવામાં જીવને આનંદ આવતો હોય છે. આ શુદ્ધ ધ્યાનની કક્ષા છે. તેને શુકલ ધ્યાન કહેવામાં આવે છે. આ અવસ્થામાં જીવ અપૂર્વ માનસિક બળ પ્રાપ્ત કરે છે અને કર્મના નાશમાં પણ આ જ બળ તેને મદદરૂપ થઈ પડે છે, આ બળ જીવે પહેલાં કદી પણ પ્રાપ્ત કર્યું નથી હોતું. ઉપશમણિ અથવા ક્ષેપકોણિના જીવાને આ બળ પ્રાપ્ય હોય છે. આ અવસ્થામાં ચારિત્ર પૂર્ણ હોય છે. જીવ પાતાની જાતને પવિત્ર ધ્યાનમાં મગ્ન રાખી શકે છે. ८. अनिवृत्तिकरण ૯. ૧૨૯ આ કક્ષાએ જીવ વધારે વિકસિત વિચારપ્રવૃત્તિ પ્રાપ્ત કરે છે. પ્રત્યેક વખતે માત્ર એક જ વિચારપ્રવૃત્તિ કામ કરે છે. એકાગ્રતા શુદ્ધ અને પૂર્ણ હાવાથી વિચારો પાવકવાળાની જેમ કામ કરતા હોય છે, અને કર્મરૂપી વનના નાશ કરતા હોય છે. વિચારપ્રવૃત્તિના વિકાસ અને એની વિશુદ્ધિ એક જ પ્રકારનાં હાય છે. કષાયાના એકવીસ પેટાવિભાગાના તેમ જ ચારિત્રમેાહનીય કર્માના જીવ ઉપશમ અથવા ક્ષય કરે છે. આને પરિણામે સ્થૂળ ઈચ્છાઓ અને લાગણીઓ અભિભૂત થાય છે. આ અવસ્થા જેણે પ્રાપ્ત કરી હોય છે તે વ્યક્તિ પોતે જે કાંઈ જોયું હાય, સાંભળ્યું હોય કે ખાધું હોય તેના ઉપભાગની ઇચ્છા પર વિજય મેળવે છે. જીવનાં સાચાં સ્વરૂપનું તે ધ્યાન ધરે છે. ૧૦. સૂક્ષ્મસંવરાય પાંચ પ્રકારનાં જ્ઞાનાવરણીય, ચાર પ્રકારનાં દર્શનાવરણીય, અને પાંચ પ્રકારનાં અન્તરાયકર્માના થેાડા ભ્રમની આ કક્ષા છે. ધ્યાન દ્રારા અત્યંત સૂક્ષ્મ કર્માના પણ ઉપશમ કે ક્ષય કરવાનું બળ જીવને પ્રાપ્ત થાય છે. મેક્ષપ્રાપ્તિની સૂક્ષ્મ ઈચ્છા હજી ચાલુ હોય છે. જીવની આધ્યાત્મિક પ્રગતિ થઈ હોવા છતાં પણ હજી શરીરને માટે અભાનપણે આસક્તિ રહે છે. લાભ—કષાયની જરા છાંટ અહીં હોય છે. વિચારોની પ્રવૃત્તિ ઉપશમ અથવા ક્ષપકોણિની હોય છે. ૧૧. સુપરશાંતમોદ આ કક્ષાએ શુદ્ધ વિચારપ્રવૃત્તિને કારણે મેહ અથવા કષાયોનું શમન થયું હોય છે. શિયાળાની ઋતુમાં તળાવનાં પાણી સ્વચ્છ હોય છે કારણ કે 18.-4 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy