SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૩ ગુણસ્થાનાના ક્રમ તર્કયુક્ત છે— કાલક્રમાનુસાર નથી. પ્રત્યેક વ્યક્તિ દીઠ એના ક્રમ બદલાય છે. અત્યંત ઊંચી કક્ષાએ પહોંચ્યા પછી જીવનું પુનઃ પતન થઈ શકે અને ત્યાં સુધીમાં સાધી શકાએલા વિકાસ પૂર્ણત: કે અંશત: નષ્ટ થઈ શકે. એક જ કક્ષામાં સ્થિતિ ઘણી ઓછી ક્ષણા સુધી હાઈ શકે. સવારમાં કોઈ મેાટી ઊંચાઈ પર હાઈ શકે, બપારે ગબડી શકે અને સાંજે ફરી પાછા ચઢી પણ શકે. આ આંતર અને આધ્યાત્મિક પ્રક્રિયા છે અને બાહ્ય દેખાવમાં તે દૃષ્ટિગાચર થતી નથી. ગુણસ્થાનાના ક્રમની જુદી જુદી શકયતાઓ જે પ્રક્રિયા દ્વારા સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય તેના પર આધાર રાખે છે. જે બે માર્ગો દ્વારા કર્મના ક્ષય થાય તે બે માર્ગો પર પણ આધાર રાખે છે. કર્મદ્રવ્યના ઉદય, ઉપશમ, ક્ષય અને ક્ષયોપશમ થવાને કારણે જીવની જે આત્મિક ગતિ થાય છે તેને ગુણસ્થાન કહે છે. અવિદ્યાને કારણે જુદી જુદી કક્ષાની સમજદારી ધરાવતા કેટલાય જીવા હોય છે, તે તે આપણા અનુભવની વાત છે. કેટલાક જીવાને કર્મના બંધના ખંખેરવાં જોઈએ એ વાતની ખબર હોય છે જયારે કેટલાકને તે વાતનું સ્પષ્ટ ભાન હોતું નથી; જીવ પાતે, પેાતાની પ્રગતિમાં જે કોઈ અવરોધક બળા છે તેનાથી સભાન બને ત્યારે જાગૃતિ આવી ગણાય. ત્રણ વસ્તુના ઉપશમ અથવા તો પરિત્યાગ કરવાના છે: કર્મના જથ્થા, તેની ગહનતા, અને તેની સમયમર્યાદા, પૂરતા આધ્યાત્મિક પ્રયાસ થાય ત્યારે જ કર્મના આ લક્ષણના ઉપશમ થએલા ગણાય. શોન્મતસારના ગીયાકના નવમા અને દશમા શ્ર્લાકમાં આધ્યાત્મિક વિકાસના ચૌદ ક્રમેા બતાવ્યા છે, જે આ પ્રમાણે છે : (૧) મિથ્યાત્વ (૨) સસાવન (૩) મિશ્ર (૪) અવિરતસમ્યક્ત્વ (૫) દેશવિરત (૬) પ્રમત્તવિરત (૭) અપ્રમત્તવિરત (૮) અપૂર્વરળ (૯) નિવૃત્તિનરળ (૧૦) સૂક્ષ્મસંવાય (૧૧) ૩વશાંતમોદ્ (૧૨) ક્ષોળમોર્ (૧૩) સથોનવીગિન (૧૪) યોગ વી આ પ્રમાણેના ગુણસ્થાનાના ક્રમ છે. છેલ્લી કોટિ પછી જીવ મુક્ત થાય છે. ઉત્તરોત્તર વિકાસક્રમની પ્રમુખ વિચારપ્રવૃત્તિને આધારે ચૌદ ગુણસ્થાનાનાં નામ અપાયાં છે. આપણે એ જ ક્રમમાં એમને જોઈશું. ૧. મિથ્યાત્વ ભ્રાંતિકારક અથવા મેાહનીય કર્મોને કારણે આ કોટિએ જીવ મિથ્યાદર્શનથી પ્રભાવિત થએલા હોય છે. આ કોટિ મિથ્યા દર્શનની હેાય છે. આવી વ્યક્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy