SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૧ ગુણસ્થાના અથવા જીવની આધ્યાત્મિક ઉન્નતિની ચૌદ કાટિઆ આપણા મહાપ્રયાસનું સર્વોચ્ચ ધ્યેય, આધ્યાત્મિક પ્રાપ્તિ, વ્યક્તિનાં સત્ત્વની પ્રાપ્તિ છે. કોઈ પણ ભાગે એ પ્રાપ્તિ માટે પ્રયાસ થવા જોઈએ, કોઈ પણ ભાગે એ પ્રાપ્તિ થવી જોઈએ અને કોઈ પણ ભોગે એ નિશ્ચિત હોવી જોઈએ ”. —રાટ બ્રિજીસ 46 બધાં નીતિશાસ્ત્રો અને દર્શનશાસ્ત્રોનું ધ્યેય, આધ્યાત્મિક પૂર્ણત્વની પ્રાપ્તિમાં વ્યક્તિને સહાયરૂપ થવાનું છે. આ મહત્ત્વાકાંક્ષા પૂર્ણ કરવામાં વ્યક્તિને શું બાધારૂપ નીવડે તે જાણવું મહત્ત્વનું છે. પ્રત્યેક જીવ, શુદ્ધ અને નિર્મળ હાવા છતાં મિથ્યાદર્શન, શિથિલ આત્મનિગ્રહ અને કષાયથી પ્રેરાએલી દેહ, મન અને વચનની પ્રવૃત્તિઓથી, કર્મના આસ્ત્રવને કારણે દૂષિત બને છે. આ રીતે ઉત્પન્ન થતી કાર્યશક્તિ, જીવને અશુદ્ધ બનાવે છે અને દરેક પ્રકારે જીવને નિર્બળ બનાવે છે. કર્મની શૃંખલા, પુણ્યને પરિણામે સાનાની હાય કે પાપને પરિણામે લાખંડની હાય, પણ તેને ભાંગી શકાય છે. જીવનાં જૂનાં કર્મોને માત્ર દૂર કરવાથી જ નહીં પણ નવાં કર્મના આાવ રૂંધવાથી પણ આમ કરી શકાય છે. જૈનધર્મે ઉપદેશેલું નૈતિક અને આધ્યાત્મિક અનુશાસન ક્રમિક કેળવણી માંગી લે છે. આ કેળવણી ક્રમે ક્રમે લેવાની હોય છે. તેથી દાર્શનિકોએ મુક્તિના માર્ગનું ચૌદ ક્રમામાં વિભાજન કર્યું છે. પ્રત્યેકક્રમ વિકાસની એક વિશિષ્ટ અવસ્થા, સ્થિતિ કે કોટિ સૂચવે છે. આ સ્થિતિ કર્મના પરિત્યાગ, નિષ્ક્રિયતા કે અંશત: નિષ્ક્રિયતા કે કર્મના અર્ધપરિત્યાગથી, પ્રાપ્ત થાય છે અને કર્મની પ્રવૃત્તિઓ અંકુશમાં રાખ્યાથી જે ગુણા કે લક્ષણા પ્રાપ્ત થાય છે તે પણ આ ક્રમવિકાસના કારણરૂપ હોઈ શકે. ચૌદ ગુણસ્થાના ધ્યેય તરફના ક્રમિક વિકાસને અનુરૂપ પ્રાપ્ત થતા ધર્મો અને લક્ષણાનું વર્ગીકરણ કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy