SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૧ સમ્યક્ દર્શન ધરાવતા પુરુષે કોઈ પણ પ્રકારનાં કર્માના સંગ્રહ કરતાં અટકવું જોઈએ અને જીવના સાચા ગુણાનું ચિંતન કરી મોક્ષમાર્ગ તરફ જ દૃષ્ટિ રાખવી જોઈએ. આધ્યાત્મિક વિકાસની નીચલી કક્ષામાં મન અને ઇન્દ્રિયા સુખ તરફ આકર્ષાશે અને પુણ્યની પ્રાપ્તિ માટે સત્કર્મો કરવા તરફ પ્રેરાશે છતાં તીર્થંકરોની અવિરત ભક્તિ, ધર્મગ્રંથોનું અધ્યયન, આત્મનિરીક્ષણ, દુષ્કૃત્યો માટેના પશ્ચાત્તાપ વગેરે મનને આધ્યાત્મિક પ્રવૃત્તિ તરફ દેરશે. મુમુક્ષુ વ્યક્તિએ જાણવું જોઈએ કે સારાં કે નરસાં-બંને પ્રકારનાં કાર્યો જીવને બંધનમાં નાંખે તેવાં ક ઉત્પન્ન કરશે. તેથી સમ્યક્ દર્શન અને સમ્યક્ જ્ઞાનનો આશરો લઈ, અનાસક્તિ કેળવવી જોઈએ અને કર્મપ્રવૃત્તિમાંથી મુક્ત થવું જોઈએ. નવ તત્ત્વાના સાચા આદેશના સ્પષ્ટ જ્ઞાનનું મહત્ત્વ એ છે કે તે મેાક્ષમાર્ગ માટે વ્યકિતને તૈયાર કરે છે. જીવના સાચા સ્વરૂપનું સ્વાભાવિક જ્ઞાન મેળવવાથી તેમજ પુણ્ય અને પાપ બંને જીવને કેટલાં નુકસાનકારક છે તે જાણવાથી વ્યકિત તેમની (પાપ—પુણ્યની) અસરમાંથી મુકત થશે અને જીવના ઉચ્ચતર ચિંતન તરફ અભિમુખ થશે. કાર્યકારણના આ નિયમમાં દૃઢ આસ્થા રાખવાથી રાગ, દ્વેષ, માયા, માન જેવા કષાયોને શમાવવા માટે વ્યકિત સમર્થ બનશે. સમ્યક્ જ્ઞાન આ સમજણ ઉપર આધાર રાખે છે અને સમ્યક્ દર્શન આ સત્યો પ્રત્યેની આસ્થા ઉપર આધાર રાખે છે. મિથ્યા અથવા વિકૃત જ્ઞાન ઉન્માર્ગે દોરવે છે અને માક્ષમાર્ગથી દૂર ઘસડે છે. આ નવ તત્ત્વો વ્યકિત પોતે જે કાંઈ છે અને જે થવાની છે તે માટે પોતે જ જવાબદાર છે એવું સ્થાપિત કરે છે. આધ્યાત્મિક વિકાસ એક સભાન અને વિચારશીલ પ્રક્રિયા છે અને અટળ નિષ્ઠાપૂર્વક તેને માટે પ્રયાસ કરવાના છે. નવ પદાર્થો પર વિચાર કરતી કોઈ પણ વ્યકિતને તેની મહત્તાના ખ્યાલ આવે છે. કર્મ પ્રત્યેની આસકિત વિશુદ્ધ જીવને સંસારચક્રની યાતનામાં કેવી રીતે ઘસડે છે તેમજ મુકિતમાર્ગને અનુસરવાથી સમ્યક્ દર્શન અને સમ્યક્ જ્ઞાન નવાં કર્મોના સંગ્રહને કેવી રીતે રોકે છે તે પણ તે જાણી શકે છે. નવ પદાર્થો જીવનની સમસ્યાઓને ઉકેલે છે અને બતાવે છે કે પૂર્ણત્વપ્રાપ્તિના ઉપાય વ્યકિતની પેાતાની પાસે જ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy