SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ (૫) દષ્ટિદેષથી (૬) જુઠું બોલીને (૭) જે નથી અપાયું તે લઈને (૮) માયાથી (૯) અભિમાનથી (૧૦) પોતાના મિત્રો સાથેનાં દુષ્ટ વર્તનથી (૧૧) છેતરપીંડીથી (૧૨) લોભથી (૧૩) અને ધાર્મિક ક્રિયાઓથી પાપની પ્રવૃત્તિ થઈ શકે છે. ઉપર કહેલી પ્રવૃત્તિઓ ઉપરાંત સંપત્તિનો સંગ્રહ કરવાની અને જાળવી રાખવાની લાલસા, લોભથી જે કાંઈ મેળવ્યું હોય તેનું રક્ષણ કરવામાં મગ્ન રહેવું, બીજા પ્રત્યે શત્રુતા અને ધિક્કારમાં, વિષયાસક્તિ અને જાતીય આનંદ માટેની તૃષ્ણા, તકરાર, ટંટા કે યુદ્ધમાં રત રહેવું, બીજાની નિદા કરવી કે દૂષણો જોવાં, ઉશ્કેરાઈ જવું અને મિથ્યાવાદ–આ બધું પણ અશુભ કર્મોને આકર્ષે છે. પાંચમાંથી કોઈ પણ વ્રતનો ભંગ, અને કષાયથી પ્રેરાએલું કોઈ પણ વર્તન પાપમાં પરિણમે છે. અશુભ કર્મની મુદત કષાયોની ગહનતા પર આધાર રાખે છે. પા૫ જીવના ગુણોને મલિન કરી નાંખે છે અને બીજા જન્મમાં પણ મન અને શરીરની વિકૃતિઓ ઉત્પન્ન કરે છે. પ્રથમ બાર પ્રકારની પ્રવૃત્તિઓ સ્પષ્ટ છે. તેરમા પ્રકારની પ્રવૃત્તિ ધાર્મિક જીવન સાથે સંકળાયેલી છે. આત્મકલ્યાણ માટે આમનિગ્રહ કરતે સાધુ જીવહિંસા ન થાય તે માટે કાળજીથી ચાલે છે, વાણીમાં મૃદુતા રાખે છે, ધાર્મિક ક્રિયાઓ કાળજીપૂર્વક કરે છે, અને પવિત્ર જીવન ગાળે છે. તે બધાં અનિષ્ટોથી પિતાનું રક્ષણ કરે છે, પાપ કરતું નથી અને એવા કર્મો કરે છે જેને પાછળથી ક્ષય થાય છે. પરિગ્રહો અને પ્રવૃત્તિઓથી દૂર રહેવાથી, નીતિપરાયણ રહેવાથી, સારૂં ચારિત્ર્ય અને આચાર રાખ્યાથી, બીજાને દુઃખ આપે એવી હિંસા અને હિંસક કૃત્યોથી દૂર રહેવાથી પુણ્ય મળે છે. સાધુઓ અને આ બધાં વ્રતનું પાલન કરતી વ્યક્તિઓ આ વર્ગમાં આવે છે. દનિક જીવનમાં લોકોને પુણ્ય ગમે છે કારણ કે તેને પરિણામે આનંદ અને સાંસારિક સુખો મળે છે. લોકો પાપને ધિક્કારે છે કારણ કે તે દુઃખનું મૂળ છે. ખરું જોતાં આનંદ અને સાંસારિક સુખ આવકારપાત્ર નથી કારણ કે ઇન્દ્રિયતૃપ્તિની પ્રત્યેક ક્ષણ સુખપગની તૃષ્ણા વધારે છે. સોનાની બેડીનું બંધન, લોખંડની બેડીનાં બંધન જેટલું જ પ્રતિબંધક છે. તેવી જ રીતે સારાં કે માઠાં કાર્યો, જીવને બંધનમાં નાંખે છે. નિશ્ચયનય પ્રમાણે પાપ અને પુણ્ય જીવને સંસારચક્રમાં ધકેલે છે – ગતિ કે સુખદુ:ખની પરિસ્થિતિ ગમે તે હોય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy