SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ સાચા માર્ગમાં માનતી નથી તેમજ સત્યમાં અને સત્યનાં તેમજ સૌજન્યનાં મૂલ્યોમાં માનતી નથી. વળી તે મિથ્યા દર્શનને વળગી રહે છે. સાચું અથવા સમ્યક્ દર્શન તેને અરુચિકર લાગે છે. આવી વ્યક્તિ સાત તત્ત્વામાં પણ માનતી નથી. તેથી તેનું દર્શન એકપક્ષી, વિકૃત, શંકાશીલ, મિથ્યા અને વિવેકરહિત હોય છે. આ કક્ષાએ જીવનું જ્ઞાન અજ્ઞાનથી અભિભૂત થયેલું હોય છે. જૈન ધર્મ તર્ક અને બુદ્ધિ ઉપર આધાર રાખે છે. ઉપર કહેલી પાંચ મનની સ્થિતિમાં એક યા બીજી માન્યતા રહેલી છે. કેટલાક લોકો મિથ્યા આચારોમાં અને અંધશ્રદ્ધાળુ માન્યતાઓમાં રાચે છે. જીવ જ્યારે આવી મિથ્યા માન્યતામાં પરોવાએલા હોય છે ત્યારે માણસ વિકૃત બને છે. કષાયાના પુનઃ પુન: આગમનને કારણે શ્રદ્ધા લુપ્ત થઈ ગઈ હોય છે. સાચી દૃષ્ટિના આવિર્ભાવ માટે તેના ઉપશમ જરૂરી છે. સત્યની એને કોઈ કિંમત હોતી નથી. જિનાએ આદેશેલા મહાન સિદ્ધાંતામાં મિથ્યા દર્શન ધરાવતી વ્યક્તિ માનતી નથી. આ કક્ષાએ દર્શનાવરણીય કર્મોને કારણે આધ્યાત્મિક અંધાપા પ્રવર્તતા હેાય છે. મિથ્યા અથવા વિકૃત દર્શન ધરાવતી વ્યક્તિ અંધજન જેવી છે, કારણ કે બેમાંથી કોઈને સારૂ અને ઇષ્ટ શુ તેમજ નરસું અને અનિષ્ટ શું તે જોવાની દૃષ્ટિ હોતી નથી. ૨. સાસાવન ( પતન) પતન એટલે સમ્યક્ દર્શનમાંથી પતન. અનંતાનુબંધી કષાયોને કારણે સમ્યક્ દર્શનનો ક્ષય થયા હોય છે, ત્યારે જીવ સમ્યક્ દર્શનના શિખર પરથી અથવા તો ઉચ્ચ આધ્યાત્મિક કક્ષાએથી પડે છે અને મિથ્યા દર્શનના અરણ્યમાં ભૂલા પડે છે. આને સત્તાવન કહેવામાં આવે છે. આ કક્ષાને સાસાવનસન્ય વૃષ્ટિ કહેવામાં આવે છે, અને તેમાં સમ્યક્ દર્શનની કક્ષાએથી પતન થએલું હોય છે. ઉપદેશ કે સાચી સમજ મળે તો સમ્યક્ દર્શનની કક્ષાએ પહોંચી શકાય; પણ કષાય અને મિથ્યા વિચારપ્રવૃત્તિઓથી જો માણસ ઘેરાઈ જાય, તો પોતે નિસરણીના જે ઉપલા પગથિયા ઉપર ચઢયો હાય છે, ત્યાંથી પડે છે. આ પતન દરમ્યાન જીવને સમ્યક્ કે મિથ્યા, કોઈ પણ પ્રકારનું દર્શન હોતું નથી. આ કક્ષાએ જીવ ઔયિક ભાવ ધરાવે છે. આ કક્ષા ક્ષણિક છે પરંતુ મેાહનીય કર્મોના ક્ષય થવાથી વિકાસના પ્રારંભ થવાના જ હાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy