SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૫ કર્મોને દૂર કરવામાં સમ્યક્ દર્શનનાં મહત્ત્વ પર કુંદકુંદે ખૂબ ભાર મૂક્યો છે. સમ્યક દર્શન સાંસારિક વસ્તુઓની ક્ષણભંગુરતાનું જ્ઞાન કરાવે છે અને કષાયોની પ્રવૃત્તિને અંકુશમાં રાખે છે; નવી આસક્તિઓ ઉત્પન્ન કરી તે ગુંચવણ ઊભી કરતું નથી. આવું દર્શન ધરાવતા માણસની વિચારપ્રવૃત્તિઓ શુદ્ધ હોય છે અને તે કર્મનું નવું બંધન રચવાની વૃત્તિ ધરાવતો હોતો નથી સમ્યક્ દર્શનમાં જીવ વિષેની સાચી દષ્ટિ આવી જાય છે. કર્મના વિનાશક અને હાનિકારક સ્વરૂપને તે સારી પેઠે જાણતા હોય છે તેથી સમ્યક દર્શનમાંથી ઉત્પન્ન થતાં સમ્યકત્વનાં આંદોલન દ્વારા કર્મોને પ્રતીકાર થાય છે. માઠાં કે સારાં કર્મબંધનોને કારણે સુખ કે દુ:ખ ઉત્પન્ન થાય છે એવું તે જાણતો હોય છે. તે હંમેશાં જાગૃત રહે છે અને જીવન શુદ્ધ સ્વરૂપ વિષે સભાન રહે છે. જીવનું સ્વરૂપ શુદ્ધ જ્ઞાનમય છે અને સાચો માર્ગ તે મુક્તિમાર્ગ હોય છે એવું તત્ત્વદર્શન તેણે કર્યું હોય છે. સમ્યક દર્શનની પ્રાપ્તિ જેને નથી થઈ તે વ્યક્તિ અજ્ઞાન, વિકૃત મનવાળી અને જીવના સાચા સ્વરૂપ વિશે નિર્ણય કરવા અસમર્થ રહેવાની અને તેથી જ તે સાંસારિક વિષયોને લગતી વિચારપ્રવૃત્તિએમાં જ મગ્ન રહેવાની. સમ્યક દર્શન જેને પ્રાપ્ત થયું છે તે વ્યક્તિ પોતાના સમ્યક્ દર્શનથી સંતુષ્ટ રહે છે અને તેને કારણે તેને શાંતિ અને સુખ મળે છે. માત્ર મિથ્યાવાદી અને અજ્ઞાની મનુષ્ય જ ઇન્દ્રિયનુપ્તિમાં રાચે છે અને પરિણામે તેના કષાયો તૃપ્ત થાય તેવા ભૌતિક પરિગ્રહ સંગ્રહ કરે છે. સમ્યક્ દર્શન જેને પ્રાપ્ત થયું હોય છે તે મનુષ્ય સાત પ્રકારના ભયથી મુક્ત હોય છે : જીવનને ભય, પુનર્જન્મનો ભય, અસહાયતાને ભય, પરિગ્રહ ગુમાવવાનો ભય, દુ:ખનો ભય, અકસ્માતનો ભય, મૃત્યુનો ભય. સમ્યક દર્શન ધરાવતી વ્યક્તિ પોતાની માન્યતામાં દઢ અને વિચારમાં અડગ હોય છે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને અનાસક્તિથી જે બળ ઉત્પન્ન થાય છે તેને કારણે પૂર્વાવસ્થામાં જ કર્મો નષ્ટ થઈ જાય છે. જીવમાં લીન થવાના પ્રયાસને પરિણામે ભાવનિર્જરા પ્રાપ્ત થાય છે અને ભાવનિર્જરાને કારણે દ્રવ્યનિર્જરા પ્રાપ્ત થાય છે. મેક્ષ સાતમું તત્ત્વ તે ક્ષતત્ત્વ છે. બંધનનું કારણ ન હોવાથી તેમ જ જીવથી કર્મ દૂર થયાં હોવાથી, કર્મોને સંપૂર્ણ ક્ષય થાય છે, અને જીવ મુકત થાય છે. કર્મના સિદ્ધાંતના નિરૂપણ વખતે આપણે જોયું છે કે કર્મો આઠ પ્રકારનાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy