SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૩ કષાયથી પુનર્જન્મ પ્રાપ્ત થાય છે, અને એ બંનેને અંત આવવાથી ભાવસંવર પ્રાપ્ત થાય છે. પ્રવૃત્તિઓ પરનો અંકુશ અને કષાયો પર વિજય મેળવવાથી કર્મદ્રવ્યને પ્રવાહ અટકે છે એટલે કે દ્રવ્યસંવર પ્રાપ્ત થાય છે. બધા અનિષ્ટનું મૂળ મિથ્યા દર્શન અને કષાયોને ઉદય છે. એને કારણે અનંત સંસારચક્ર અને સંયમનો અભાવ પ્રવર્તે છે. આધ્યાત્મિક વિકાસની ઉચ્ચ કક્ષાઓને તેઓ અવરોધ કરે છે. દેહ, મન અને વાણીની પ્રવૃત્તિઓના નિગ્રહથી સંવર પ્રાપ્ત થાય છે. ફરવા, ખાવા, બેસવા, સુવા જેવી સ્વાભાવિક પ્રવૃત્તિઓમાં પણ નિયમન હોવું જોઈએ જેથી સૂક્ષ્મ જીવોને હાનિ થાય નહીં. દશ ગુણનું નિયમિત અને સૂક્ષ્મ પાલન વિચાર અને આચારની શુદ્ધિ માટેની આંતરિક સભાનતા જાગૃત કરે છે. ઉપર જણાવેલી વિવિધ પ્રકારની અનુપ્રેક્ષાઓ માનસિક અને આત્મિક ગુણોની પરાકાષ્ઠા કેળવાય તે માટે મદદરૂપ થાય છે. તેઓ જીવના અને ભૌતિક જગતની ક્ષણભંગુરતાના સાચા જ્ઞાન માટેનાં વિશાળ ક્ષેત્રો ખુલ્લાં કરે છે. ભ્રમ દૂર કરી, અંગત તેમજ ભૌતિક દરેક પ્રકારની આસકિતમાંથી આપણને તે મુકત કરે છે. સાંસારિક જીવનની આપત્તિઓને વિચાર કરવાથી આપણે સત્યને અસત્યથી જુદું તારવી શકીએ છીએ. આ ક્ષણિક જગતમાં દશ ધર્મો જ આપણા સાચા માર્ગદર્શકે, અને પથપ્રવર્તક છે. જીવ દેહથી ભિન્ન છે એ વિચાર કરવાથી આપણને ખાત્રી થાય છે કે દેહ માત્ર અશુદ્ધિ ઓનો સંગ્રહ છે. ધર્મનું સતત અનુષ્ઠાન અને ધર્મમાં ઉપદેશાવેલા નિયમોનું પાલન, નવાં કર્મોની આડે આવે છે. આપણી શ્રદ્ધા અડગ રહે તે માટે પરિસ સહેવા જ જોઈએ. વિવિધ પ્રકારના પરિસહોને જેઓ સમત્વપૂર્વક જીતી લે છે તેઓ સત્ય અને અહિંસામાંથી ડગશે નહીં. નવાં કર્મોને આશ્રવ રોકવા માટે આંતર અને બાહ્ય તપનું પાલન અત્યંત જરૂરી છે. પશ્ચાત્તાપ, ચિંતન, સાધુઓ અને ચતુર્વિધ સંઘના સભ્યોની સેવા તેમ જ ધર્મગ્રંથનું અધ્યયન અને સંન્યાસઆ બધાં દ્વારા અંતરની શુદ્ધિ પ્રાપ્ત થાય છે. નિજ નવાં કર્મોને આસ્રવ જયારે બંધ થાય છે ત્યારે એક પ્રશ્ન સ્વાભાવિક રીતે ઊભો થાય છે. જે કર્મો જીવમાં પ્રવેશી ચુકયાં છે તે કર્મોનું શું? જે પ્રક્રિયાથી આ કર્મોનો ક્ષય કરવામાં આવે છે તેને નિર્જરા કહેવામાં આવે છે. એક રીતે જોઈએ તે નિર્જરા એટલે કર્મોને ક્ષય. કર્મનાં ફળરૂપે સુખદુ:ખ ભોગવી જે.-૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy