SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ વિજય (૮) ત્રારિસના એટલે સ્ત્રી કે તેના હાવભાવ વગેરેનાં દર્શનથી ઉપજતી ચિત્તની વિબ્ધિ ઉપર વિજય (૯) રરિસના પગે ચાલવાથી ઉપજતાં થાક, દુ:ખ વગેરે પર વિજય (૧૦) નિષgrifરસના એટલે ધ્યાન માટે નિશ્ચિત સ્થળ પરથી ખસવાની ઇચ્છા પર કે તેને કારણે થતી અગવડથી ઉપજતાં દુ:ખ ઉપર વિજય (૧૧) રાચ્ચારસના એટલે ખુલ્લી જમીન પર સુવાથી થતી કષ્ટની લાગણી પર વિજય (૧૨) મોરારિસના એટલે બીજાનાં વર્તનથી ઉપજતી ક્રોધ વગેરેની લાગણી પર જય (૧૩) વાઘારિસના એટલે બીજાથી થતી અવગણનાને પરિણામે ઉપજતી મુશ્કેલી પર જય (૧૪) થાક્યા રસના કોઈપણ વસ્તુની અનિવાર્ય જરૂર હોય ત્યારે બીજા પાસે માંગવાની ઇચ્છા પર જય (૧૫) સામરિસના એટલે કે ભિક્ષા માંગતાં તે ન મળે તો થતા અસંતોષ પર જય (૧૬) રજપરિસર્ણય – રોગથી થતાં કષ્ટ ઉપર વિજય (૧૭) તુરિસન્નય એટલે કાંટા કે ઘાસ ખુંચવાથી થતાં કષ્ટ ઉપર જય (૧૮) રિફંગર એટલે પિતાના દેહની અસ્વચ્છતા જોઈને થતા તિરસ્કાર કે અસંતોષના ભાવ પર વિજય (૧૯) સવારપરિસટ્ટા એટલે પ્રશંસા કે સન્માન મેળવવાની લાગણી પર વિજય (૨૦) પ્રજ્ઞાારિસન – જ્ઞાનથી થતા અભિમાન પર જ્ય (૨૧) અજ્ઞાનપરિસઢગથ એટલે પોતાના જ અજ્ઞાનથી અનુભવાતી નિરાશા અને શરમની લાગણી પર વિજય (૨૨) અવનપરિસ એટલે તપશ્ચર્યા કરીને શુદ્ધ જીવન ગાળ્યા પછી પોતાનો આદર્શ સિદ્ધ ન થાય તેનાથી થતી નિષ્ફળતાની લાગણી પર જય. આમ બાવીસ પ્રકારની મુશ્કેલીઓ પર વિજય મેળવવામાં આવે તે સમત્વ મળે અને દૈનિક જીવનની વિવિધ પરિસ્થિતિઓમાંથી ઉદ્ભવતાં શોક અને દુ:ખની અસરમાંથી મુક્ત રહી શકાય. ભાવસંવરને સાતમો ઉપાય છે સમ્યફ ચારિત્ર. ચારિત્રના પાંચ પ્રકાર છે : (૧) સામાયિક પાંચ વ્રતનાં પાલન અને જીવમાં લીન થવાથી પ્રાપ્ત થતું સમત્વ (૨) છેવોuથાન બેદરકારી કે અસાવધાનીથી થએલા દોષ માટે પશ્ચાત્તાપ કરી ચારિત્રનું સમત્વ પ્રાપ્ત કરવું (૩) વરાવિશુદ્ધિ પ્રાણીઓની અહિંસામાંથી પ્રાપ્ત થતી વિશુદ્ધિ (૪) સૂમસંય લોભ સિવાયના બધા કષાયોથી રહિત ચારિત્ર (૫) કથાસ્થત બધા કષાયનું શમન થવાથી કપાયરહિત આચરણ. જે પ્રાણીઓ વિકાસના ૧૧ થી ૧૪મા ક્રમ સુધી પહોંચ્યા હોય તેઓ આ પ્રકારનું ચારિત્ર પ્રાપ્ત કરે છે. ઉપર જે કાંઈ કહેવાયું તે પરથી સ્પષ્ટ થયું હશે કે જુદી જુદી રીતે આધ્યાત્મિક વિકાસ પ્રાપ્ત થાય ત્યારે જ સંવરની પ્રાપ્તિ થાય છે. યોગ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy