SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રણ પ્રકારના, શુભ પ્રકૃતિ ધરાવતા મનુષ્યની વેશ્યા ભિન્ન ભિન્ન હોય છે. પીત વેશ્યા ધરાવતો મનુષ્ય શું કરવું, શું ન કરવું તે જાણતો હોય છે. તે કર્તવ્યનિષ્ઠ, સ્થિર, ઉપભોગ માટે શું અયોગ્ય તે સમજનારો, ચાર કષાયોથી યુક્ત, સંયમી, નિષ્પક્ષપાતી, દયાળુ, દાની, શાંત અને મૃદુ હોય છે. ગુલાબી અથવા રાતી વેશ્યા ધરાવતી વ્યકિત હજી વધુ મૃદુ ગુણો ધરાવતી હોય છે અને દાની, માયાળુ, પરોપકારી, બીજાનું કલ્યાણ ઇચ્છનારી, નમ્ર, સ્થિર, શિષ્ટ, સંયમી, ક્ષમાશીલ, સંતે અને આચાર્યો પ્રત્યે નિષ્ઠાવાળી, અને સત્ય માટે પ્રયત્નશીલ હોય છે. શુકલ લેગ્યા ધરાવતી વ્યકિત નિષ્પક્ષપાતી, ધર્મ અને સત્યનાં ધ્યાનમાં મગ્ન, ઉપભેગની સ્પૃહારહિત, સમિતિ અને ગુપ્તિનું પાલન કરનારી ઇન્દ્રિયોને નિગ્રહ કરનારી, પ્રશાંત, કષાયરહિત અને સાંસારિક સુખ પ્રત્યે નિઃસ્પૃહ હોય છે. મન તેમ જ વિચારની શુદ્ધિનાં પરિવર્તન સાથે આ લેગ્યાઓ બદલાય છે. આ પરિવર્તન છ લેગ્યામાં ૨૬ પ્રકારનાં પરિવર્તન આણે છે ઉપર જે કાંઈ કહેવાઈ ગયું તે પરથી સ્પષ્ટ થયું હશે કે વેશ્યાઓ જુદાં જુદાં કર્મોના પ્રભાવથી ઉત્પન્ન થએલી જુદી જુદી સ્થિતિઓ જ છે. તેઓ જીવના સ્વભાવ પર નહીં પરંતુ જીવનાં સહકારી કર્મો પર આધારિત છે. એટલે કે સૂકમ કર્મ-દ્રવ્ય લશ્યાને ઉત્પન્ન કરે છે તેથી વેશ્યાને રંગ, સ્વાદ, ગંધ, સ્પર્શ, કોટિ, સ્વભાવ, પ્રકાર, સમયમર્યાદા, પરિણામ વગેરે હોય છે. કૃષ્ણ, નીલ, કપોત, પા, પીત અને શુકલ લેયાઓને અનુક્રમે પાણીથી ભરેલા મેઘ, નીલ આકાશ, કબૂતરના કંઠ, સિંદૂર, હળદર અને વહેતાં પાણી જેવા રંગે હોય છે, તેમના સ્વાદ અનુક્રમે લીંબોળીથી કડ, ત્રિકૂટ કરતાં પણ વધુ તૂરો, કાચી કેરી કરતાં વધુ ખાટો, પાકી કેરી કરતાં વધુ મધુર, મધ કરતાં અનેક ગણો વધુ મીઠો, અને દૂધ કરતાં અનેક ગણો ચઢિયાત હોય છે. પ્રથમ ત્રણ દુષ્ટ વેશ્યાઓની ગંધ ગાય, કૂતરા અને સર્પના મૃત દેહ કરતાં અનેકગણી વધુ દુષ્ટ અને ત્રણ શુભ લેશ્યાઓની ગંધ ચોળી નાંખેલાં સુવાસિત પુષ્પ, કે અત્તરથી અનેકગણી વધુ સુખદ હોય છે. પ્રથમ ત્રણ દુષ્ટ લેશ્યાઓનો સ્પર્શ કરવત કે ગાયની જીભ કરતાં અનેકગણો અનિષ્ટ હોય છે જ્યારે છેલ્લી ત્રણનો સ્પર્શ સુતર, માખણ કે શિરીષ પુષ્પ કરતાં પણ અનેક ગણો વધુ સુખદ હોય છે. કષાય અને પ્રવૃત્તિની તીવ્રતા પ્રમાણે વેશ્યાઓ બદલાય છે તેથી તેમની હાજરી અને રંગની કોટિ પ્રત્યેક વ્યક્તિના આત્મિક વિકાસ પર અવલંબન રાખે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy