SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ અને શ્વેત રંગામાં પ્રગતિ થાય છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે સૌથી દુષ્ટ અથવા અશુભ વિચારપ્રવૃત્તિ કાળી છે જયારે સૌથી શુદ્ધ અને શુભ વિચારપ્રવૃત્તિ શ્વેત છે. તે પણ, લેશ્યા, રંગો કરતાં પણ રંગોની પરિભાષામાં વૃત્તિની તીવ્રતાની કોટિના વધારે પરિચય આપે છે. નેમિચન્દ્ર સિદ્ધાંતચક્રવર્તીએ મનની પ્રવૃત્તિ પ્રમાણે ઉદ્ભવેલી લેશ્યાઓને સમજાવવા બહુ સુંદર ઉદાહરણ આપ્યું છે. છ મુસાફરો અરણ્યમાં ભુલા પડે છે અને ફળોથી લચી પડતાં એક વૃક્ષને જુએ છે. સ્વાભાવિક રીતે જ તેમને ફળ ખાવાની ઇચ્છા હોય છે. એક માણસ આખું ઝાડ ઉખેડીને ફળ ખાવા માંગે છે. તેની લેશ્મા કાળી છે. બીજો માણસ ઝાડનું થડ કાપીને ફળ ખાવા માંગે છે. તેની લેશ્યા નીલ છે. ત્રીજા ડાળીઓ કાપીને ફળ ખાવા ઇચ્છે છે. તે કાપાતલેશ્યા ધરાવે છે. આ ત્રણે ઝાડને નુકસાન કરીને એનાં ફળ ખાવા ઇચ્છે છે, જો કે દરેકના નુકસાનની કક્ષા જુદી જુદી છે. બાકીની ત્રણ વ્યક્તિએ વધારે સારી જાતની છે. તે ઝાડના ભાગોના નાશ કર્યા વગર પોતાના હેતુ સિદ્ધ કરવા માંગે છે. ચેાથે! માણસ ઝાડની જે ડુંખ ઉપર ફળ છે તે ડુંખ જ કાપીને ફળ ખાવા ઇચ્છે છે. તે પીત લેશ્યાવાળા છે. પાંચમાને માત્ર ફળ જ ખાવું છે. તેની પદ્મલેશ્યા છે. છેલ્લાને તો માત્ર પાકેલાં જ ફળ ખાવાં છે. વૃક્ષને કોઈ નુકસાન પહોંચાડવાની તેની ઇચ્છા નથી. તેથી તે શ્વેત અથવા શુકલલેશ્યા ધરાવતા શ્રેષ્ઠ પુરુષ છે. આ વિવિધ લેશ્યાઓ મનની આંતરપ્રવૃત્તિની પરિચાયક છે. લેશ્યાઓ સૂચવે છે કે ધ્યેયની પ્રાપ્તિ માટે પ્રત્યેક વ્યક્તિએ યોજેલા ઉપાયો, વ્યક્તિના માનસિક અને નૈતિક લક્ષણા અનુસાર ભિન્ન ભિન્ન છે. કૃષ્ણ લેશ્યા ધરાવતા મનુષ્ય ક્રોધી, દુશ્મનાવટથી ભરેલા, દુષ્ટ, ઉગ્ર, છ પ્રકારનાં પ્રાણીઓને નુકસાન કરવાનાં પરિણામેાની ઉપેક્ષા કરનારો, પવિત્રતા અને કરુણા વિનાના, સંયમહીન, સિદ્ધાંતહીન, જડ, સામાન્ય બુદ્ધિ વિનાના, ચતુરાઈ વિનાના, ઇન્દ્રિયસુખામાં આસક્ત, અભિમાની, માયાવાદી, આળસુ, તોફાની અને મીંઢા હશે. નીલ લેશ્યાવાળા મનુષ્ય અત્યંત નિદ્રાળુ અને માયાવાદી, અજ્ઞાન, ઉદ્ધત, દુષ્ટ, પ્રમાદી, દુન્યવી પરિગ્રહો અને સમૃદ્ધિના અત્યંત લાભી, પાપકર્મામાં પ્રવૃત્ત અને ઝટ ઉશ્કેરાઈ જાય એવા હોય છે. કાપાત લેશ્યાવાળી વ્યક્તિ સ્વભાવે ગુસ્સાખાર, બીજા વિષે માઠું બોલતી, બડાઈખાર, મુશ્કેલીઓ ઊભી કરે એવી, વિષણ, ભયંકર, શત્રુતાભરી, બીજાનું અપમાન કરનારી, કપટી, નીચ, નાસ્તિક, બીજાના લાભ કે નુકસાનની ઉપેક્ષા કરનારી, યુદ્ધભૂમિ પર મૃત્યુ પામવાની ઇચ્છા રાખતી, ખુશામતખાર અને વગર વિચાર્યું કામ કરનારી હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy