SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ જીવના આંદોલનો તે વેશ્યા. તેઓ સ્વભાવમાં રહેલી લોભ વગેરેની કોટિએના ઉદાહરણરૂપ છે. આ રંગોની છાયાઓ સર્વોપરી છે પણ ભૌતિક નથી. નેમિચન્દ્ર સિદ્ધાંતચક્રવર્તીએ કહ્યું છે કે વેશ્યાના ગુણોને જેઓ જાણે છે તેમના મત પ્રમાણે ભાવલેશ્યા જીવને રંજિત કરે છે. જીવ તેને પોતાની ગણી લે છે અને પરિણામે પુણ્ય અથવા પાપને ઉદ્ભવ થાય છે. વર્ણ અથવા રંગ, દ્રવ્યની સ્થિતિ છે. જીવ પોતે આકાર, સ્વાદ, ગંધ, રંગ અને સ્પર્શ વગરને છે. રંગ દ્રવ્યનું મહત્ત્વનું અને વિશિષ્ટ લક્ષણ છે. ચૈતન્ય જીવનું લક્ષણ છે. ચિંતનપ્રવૃત્તિઓને કારણે તેમાં રૂપાંતરો થયાં કરે છે. આ રૂપાંતરો પણ આકાર અને રંગ વિનાનાં હોય છે. જ્યારે દેહ, મન અને વચનની પ્રવૃત્તિઓ તેમજ કષાયો આંદોલનો ઉત્પન્ન કરે છે ત્યારે એક કર્મપ્રવાહ જીવમાં જાય છે અને બંધન ઉત્પન્ન કરે છે. કર્મની પ્રવૃત્તિને કારણે આ આંદોલનની પ્રવૃત્તિ રંજિત થાય છે. આપણે જોયું કે આંદોલનક્રિયાઓથી માત્ર કર્મદ્રવ્યનું સ્વરૂપ જ નહીં પરંતુ કર્મના અણુઓની સંખ્યા પણ નક્કી થાય છે. આ અણુઓ જીવને બંધનમાં નાખે છે. કક્ષાની તીવ્રતા પરથી બંધનની મુદત અને ફળનાં સ્વરૂપનો નિર્ણય થાય છે. ઉપર કહ્યું તે પ્રમાણે વેશ્યા છ પ્રકારની છે. sw, નીરુ, વાવોલ, તેના (પીળી), પદ્મ (રાતી) અને પણ રૂપાંતરની દૃષ્ટિએ જોતાં રગે અગણિત રહે છે. વેશ્યા બે પ્રકારની હોય છે : મારા અને ત્રણ . મારા વિચારની પ્રવૃત્તિને રંગ છે. દ્રવ્ય નામકર્મને કારણે ઉત્પન્ન થાય છે. જુદી જુદી ગતિના જીવોના જુદા જુદા રંગ હોય છે. નારકી જીવ કાળા હોય છે જ્યારે બીજા જીવોને છમાંનો કોઈક રંગ હોય છે. ઉત્તમ, મધ્યમ અને અધમ પ્રદેશના જીવોને અનુક્રમે સૂર્ય જેવ, ચંદ્ર જેવો અને લીલો રંગ હોય છે. જલકાય, અગ્નિકાય અને વાયુકાય જીવોને વેત, પીત અને અવર્ણનીય રંગોના દેહે હેય છે. વિશ્વના અગણિત આકાશપ્રદેશમાં કષાયોનાં ઉદયસ્થાને હોય છે. દુષ્ટ કષાયોનાં રંગ શ્યામ, નીલ અને રાખડી હોય છે જયારે શુભ વિચારોના રંગે પીત, ગુલાબી અને શ્વેત હોય છે. દુષ્ટ વિચારોના રંગો ઘેરા, વધુ ઘેરા કે અતિઘેરા હોય છે. તેવી જ રીતે શુભ વિચારોના રંગ આછા, વધુ આછા અને સૌથી આછા હોય છે. શુભ કે અશુભ વિચારપ્રવૃત્તિ કે કષાયોના ઘટાડા કે વધારા પ્રમાણે રંગેનાં રૂપાંતર થયાં કરે છે. દુ:ખમાં વધારો થતાં લેશ્યા રાખડી, નીલ કે શ્યામમાં રૂપાંતરિત થાય છે. જીવની શુદ્ધિ કે શુભ ચિંતન વધતાં પીત, પદ્મ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy