SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ મન અને ચારિત્ર્યની આવી પ્રવૃત્તિઓ એવા કર્મપ્રવાહને જન્મ આપે છે જેને પરિણામે સુખદ લાગણીઓ ઉત્પન્ન થાય છે. સાતવેદનીય કર્મો દુખદ લાગણીઓનાં કારણ છે. પોતાનાં કે બીજાનાં કે બંનેના વેદના, શોક, વિલાપ, ઈજા અને પ્રલાપ આ કર્મોનાં કારણરૂપ છે. સંતાપ અને દુ:ખના આ બધા અનુભવો ક્રોધ, લોભ વગેરે કક્ષાના પરિણામ રૂપ હોય છે. અસંયમ, વ્યકિત કે તેની સંપત્તિને નુકસાન, અનૈતિક કાર્યો, વાણીથી સહેવો પડતો અપયશ, અનિષ્ટ અથવા બીનજરૂરી ચીજો માટેની પ્રબળ ઇચ્છાને કારણે તેઓ ખિનતાને ભાવ ઉત્પન્ન કરે છે. કષાય ન હોય ત્યાં વેદના હોતી નથી. ભાવિક લોકો ઘણી તપશ્ચર્યા કરે છે પણ તેમને વેદના થતી નથી, કારણ કે તેમણે સ્વેચ્છાએ આત્મશુદ્ધિ માટેની ક્રિયાઓ સ્વીકારી હોય છે. આ ક્રિયાઓ પાછળ અનિષ્ટ આશય હોતો નથી. મન શાંત અને સમતોલ હોય છે. શલ્ય ચિકિત્સક દુ:ખ આપે છે પણ તેને હેતુ દર્દીને દર્દમુકત કરવાનું છે જેથી એ દુ:ખમુક્ત થાય અને વધુ વેદના ન અનુભવે આ આઠ પ્રકારના કર્મો જીવની શુદ્ધિને દુષિત કરે છે, અને તેની બધી અથવા થોડી આંતરિક ગુણવત્તાઓને મલિન કરે છે. આ કર્મો બહારનાં પરિબળો છે. જીવના માર્ગની દિશાને તે બદલી દે છે અને સાંસારિક જીવનની જંજાળમાં તેને ખેંચે છે. અજ્ઞાન, વેદના, નિર્બળતા, આ જ કર્મોને કારણે છે. સ્થિતિની અસમાનતા પણ તેમને કારણે જ છે. આપણા પોતાનાં મન, વચન અને દેહ તેમના પ્રવાહના કારણરૂપ છે. કર્મનો સિદ્ધાંત દેવવાદ નથી. એ કાર્યકારણને કાનુન છે. નતિક કાર્યકારણભાવને આ કાનૂન બતાવે છે કે આપણી ખુશનસીબી કે કમનસીબી આપણે જ સર્જી છે. કોઈ માણસનાં સુખ કે દુઃખ તેનાં પોતાનાં જ કાર્ય, વાણી અને વિચારના પરિણામરૂપ હોય છે. પસંદગીના તત્ત્વની ઉપેક્ષા કરીએ તો જ દૈવવાદ આવે છે. દૂધથી શરીરને સારી અસર થશે એવું બરાબર જાણ્યાં છતાં કોઈ માણસને દારૂ પીવાની ઇચ્છા થઈ આવે, અને એ દારૂ પીવો પસંદ કરે એવું બને પણ ખરૂં. ઇચ્છા માણસને ફરજ નથી પાડતી. દૂધ છોડીને દારૂ પીવાની માણસની પસંદગીનું એ નિમિત્તકારણ હોય છે. દૂધ પસંદ કરવાની શક્તિ તો તેની પાસે હતી જ. આટલું જો યાદ રાખીએ તે પોતે કરેલા કાર્યમાં દૈવવાદ કામ કરતો નહીં દેખાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy