SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૫ વળી એ પણ સ્પષ્ટ થશે કે કારણતાને આ નિયમ યાંત્રિક નથી કારણ કે તેનું મહત્ત્વનું કારણ ચૈતન્ય છે. જીવન એક લાંબે પ્રવાસ છે. પ્રાણી આગળ વળે જાય છે. પિતાની મુસાફરી સગવડભરી રાખવી હોય, અકસ્માતથી બચવું હેય, તે સંયમની બ્રેક લગાવવી જોઈએ. કષાયો, ટ્રેનને પાટા પરથી ગબડાવી દે એવાં પરિબળો છે. પણ સાચા માર્ગનું જ્ઞાન, અને સમ્યક દર્શનના પ્રભાવમાં શ્રદ્ધા, માણસને ધારેલે રસ્તે પહોંચાડે છે. પ્રત્યેક પ્રાણી પોતાની ગતિમાં દેહ, જીવનમર્યાદા, રંગ, પરિસ્થિતિ અને બીજાં લક્ષણ સાથે જન્મ લે છે. આ બધું કરેલાં કર્મોને આભારી છે. જેના તીર્થકરોએ પૃથક્કરણ કરીને આ કારણે કયાં છે તે બતાવ્યું છે. પ્રત્યેક પ્રાણી, પિતે જે કાંઈ લઈને જન્મ્યો છે તેનું કારણ પોતે જ છે. કર્મો અકુદરતી આવરણો છે જે જીવના સ્વાભાવિક ગુણોને મલિન કરે છે. મુક્તિનો માર્ગ બતાવે તે ધર્મનું કાર્ય છે. જેઓ અશુદ્ધ કે અસ્વચ્છ સ્થિતિમાં જન્મ્યાં છે તેમણે આ અસ્વચ્છતામાંથી કેમ મુકત થવું અને જીવના અનંત ગુણોને વિકાસ કેમ કરવો તે જાણવું જ જોઈએ. જીવની પ્રગતિને રૂંધતી અશુદ્ધિઓ માણસ કેવી રીતે દૂર કરી શકે તે હવે જોઈશું અને જૈન ધર્મ પ્રમાણે આ ધ્યેયની પ્રાપ્તિ શી રીતે થઈ શકે તે પણ જોઈશું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy