SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ આયુષ્કર્મના કારણરૂપ છે. આત્મનિગ્રહ ચારિત્ર અને વિચારની શુદ્ધિની ચાવી છે. ઘણી વખત એવું થાય છે કે મન અને વાણીને અત્યંત સંયમ ધરાવનાર લોકો પણ નિર્ણય ન કરી શકવાથી અસ્વસ્થ હોય છે. મિથ્યા દર્શનને કારણે લોકો ઉગ્ર તપસ્યા કરે છે. વળી તે ઉપરાંત સમ્યક દર્શનને અલગ નિર્દેશ હોવાથી એમ લાગે છે કે તે પણ દેવગતિમાં જન્મ આપનારા આયુષ્કર્મનું કારણ હોઈ શકે. બે સૂત્રો વચ્ચે સમાધાન કરવાનો એક માત્ર માર્ગ એ છે કે જે જીવો સમ્યક્ દર્શન ધરાવે છે તેઓ ખોડખાંપણરહિત હોય છે જ્યારે આવું દર્શન ન ધરાવતા દેવેને ખેડખાંપણ હોઈ શકે. હકીકતમાં જીવના સાચા સ્વરૂપને બોધ ન થાય અને સાંસારિક વિષયો સાથે સંબંધ તૂટે નહીં ત્યાં સુધી સમ્યક્ દર્શન પ્રાપ્ત થાય નહીં. નામકર્મ આ જાતનું કર્મ જીવ જે દેહમાં મૂર્ત થશે તે દેહનાં લક્ષણો નક્કી કરશે. આપણે જોયું છે કે જીવ ચાર ગતિઓમાંથી ગમે તે એક ગતિમાં જન્મ લઈ શકે. સ્વાભાવિક રીતે જ દેહનાં સ્વરૂપ, પ્રમાણ, રંગ, ઉંચાઈ વગેરે ભિન્ન ભિન્ન હોય છે. નામકર્મના પ્રથમ બે વર્ગો પડે છે : પતિ અથવા ભૌતિક ગુણો અને વિકતિ અથવા અભૌતિક ગુણ. ( નવીન જીવવિદ્યાના સિદ્ધાંતનું પૂર્વાનુમાન કરતા હોવાથી નામકર્મને સિદ્ધાંત અત્યંત રસપ્રદ છે. તેના ૯૩ વર્ગો પાડવામાં આવ્યા છે. નવીન જીવવિદ્યા જીવંત વસ્તુના ઉદ્ગમ અને વિકાસને સમજાવવાનો પ્રયાસ કરે છે. તેમ કરતાં તે ઉન્સેચકો અને જનીન અતિસૂક્ષ્મ તત્ત્વોની અભિધારણ કરે છે, જેના પર સેન્દ્રિય પદાર્થને વિકાસ આધારિત છે. તેવી જ રીતે હજારો વર્ષો પૂર્વે જૈન ચિંતકોએ સ્થાપેલ નામકર્મને સિદ્ધાંત, જીવંત તત્ત્વોના એક પ્રકાર અને બીજા પ્રકાર વચ્ચેના ભેદ, શરીરના હાડકાંના સાંધાઓની જુદી જુદી રીત, પૃષ્ઠવંશીય અને અપૃષ્ઠવંશીય દેહોની રચના વચ્ચે ભેદ, શરીરની સંવેદનશીલ ઇન્દ્રિયોની રચના – આ બધા જીવવૈજ્ઞાનિક પ્રશ્નોને સમજાવવા પ્રયત્ન કરે છે. શરીરની ઇન્દ્રિયો પૂર્ણવિકસિત અને ક્રિયાત્મક રીતે સમર્થ હોય તેમજ અપૂર્ણવિકસિત અને ક્રિયાત્મક રીતે અસમર્થ પણ હોય. આ બધું વિવિધ પ્રકારનાં નામકર્મ પર આધાર રાખે છે. નામકર્મ પ્રત્યેક વ્યકિતની દેહરચનાનાં નિયામક પણ હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy