SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ આયુષ્ક નારકી, તિર્યંચ, માનવ અને સ્વર્ગીય એવી ચાર ગતિ આયુષ્કર્મને કારણે થાય છે. જે કર્મ વ્યક્તિની અમુક ગતિમાં રહેવાની સમયમર્યાદા નક્કી કરે છે તેને નારકીય આયુષ્કર્મ, તિર્યંચ આયુષ્કર્મ, મનુષ્ય આયુષ્કર્મ અને દેવ આયુષ્કર્મ કહે છે. આ કર્મને આધારે, વ્યક્તિની પાતાની ગતિમાં જીવનમર્યાદા નક્કી થાય છે. કર્મની મુદત પૂરી થતાં પ્રાણી મૃત્યુ પામે છે. આમ પ્રાણીના જન્મ અને મૃત્યુ માટે આ કર્મ જવાબદાર છે. ઉમાસ્વામીએ વિવિધ ગતિમાં જીવાના કર્મપ્રવાહનાં કારણેા સમજાવ્યાં છે. અત્યંત દુ:ખ આપવાથી કે અત્યંત આસક્તિ રાખવાથી એવા કર્મપ્રવાહ ઉત્પન્ન થાય છે, જે નારકીય ગતિમાં લઈ જાય છે. સૂત્રમાં ગરમ અને પ્રતિપ્રદ્ એવા બે શબ્દો છે. આરમ એટલે જીવાને દુ:ખ અને સંતાપ આપવાં અને પ્રતિવ્રતૢ એટલે વિશ્વના વિવિધ પદાર્થો પ્રત્યે અત્યંત આસક્તિ રાખવી. હિંસાથી કે ઈજા કરીને અત્યંત દુ:ખ પહોંચાડવાથી નરકમાં જન્મ આપે એવા કર્મપ્રવાહ ઉત્પન્ન થાય છે. ભૌતિક પરિગ્રહોની આસક્તિને કારણે સતત ક્રૂર કર્મ કરવાથી કે બીજાની મિલકત આંચકી લેવાથી આ પ્રકારના આયુષ્કર્મના ઉદ્દ્ભવ થાય છે. ૮૯ • માયાને કારણે તિર્યંચ કે વનસ્પતિકાય જીવાની ગતિ આપે એવાં આયુષ્કર્મના પ્રવાહ ઉત્પન્ન થાય છે. જીવનું માયાવૃત્તિયુક્ત વર્તન ચારિત્રમેાહનીય કર્મને પરિણામે હાય છે અને તેને કારણે તિર્યંચામાં ગતિ થાય છે. વિકૃત વલણ રાખી ધર્મના ઉપદેશ કરવા, ઔચિત્ય અને શુભ ચારિત્ર્યના અભાવ, બીજાને છેતરવાની ઇચ્છા, જીવની કપાત કે કર્બર લેશ્યા, અને મૃત્યુ દરમ્યાન શાકભરી એકાગ્રતા—આ બધી માયાપૂર્ણ વર્તણૂક, તિર્થંગિંતમાં લઈ જતાં આયુષ્કર્મને ઉત્પન્ન કરે છે. થોડી હિંસા, થોડી આસક્તિ અને સ્વાભાવિક મૃદુતા, મનુષ્યજન્મ આપતા આયષ્કર્મનાં કારણ છે. નમ્રતા, મૃદુતા, શ્રેષ્ઠ આચરણ, થોડા કષાય, મૃત્યુ વખતે દુ:ખભર્યા વલણના અભાવ, મનુષ્યગતિ આપતા આયુષ્કર્મ માટે જવાબદાર છે. બીજા શબ્દોમાં, કરુણા, કૃપા, પ્રેમ, સ્નેહ, આર્જવ અને સત્ય જેવાં લક્ષણા આ પ્રકારનાં આયુષ્કર્મનાં લક્ષણ છે. Jain Education International સમ્યક્ દર્શન, આસક્તિ પર અંકુશ, શિથિલતામિશ્ર આત્મનિગ્રહ, સ્વૈચ્છિક કર્મત્યાગ, વિકૃત દર્શનથી યુક્ત તપસ્યા, દેવગતિમાં જન્મ આપે એવાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy