SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ८८ થતી જાય છે. માયાના પેટા પ્રકારોને વાંસના મૂળ, ઘેટાંના શિંગડાં, ગોમૂત્ર અને લાકડાની સાટી સાથે સરખાવી શકાય. પૂર્વપૂર્વ કરતાં ઉત્તરોત્તરની વક્રતા વધુ ઝડપથી દૂર થઈ શકશે. ( ગામૂત્રની વાંકીચૂંકી રેખા પવન અને હવાથી અદૃશ્ય થઈ જાય છે). લેાભની કક્ષાનું ઉદાહરણ વસ્ત્ર પર પડેલા રાતા રંગ, થોડો કચરો, અને હળદરના ડાઘ છે. આ ત્રણ જો વસ્તુ પર પડયા હોય, તા રાતા રંગને ભાગ્યે જ દૂર કરી શકાય, કચરાને દૂર કરતાં ઘેાડી મુશ્કેલી પડે અને હળદરના ડાઘને સહેલાઈથી દૂર કરી શકાય. નાકષાય છ નાકષાય આ પ્રમાણે છે : (૧) હાસ્ય (૨) રતિ-અયેાગ્ય અને પક્ષપાત ભરી રૂચિ (૩) અરતિ—અયેાગ્ય અને પૂર્વગ્રહ-યુક્ત અણગમા (૪) શાક (પ) ભય (૬) જુગુપ્સા. આ છ નાકષાયો ચારિત્રમેાહનીય છે કારણ કે તેમના સંબંધમાં આવેલા જીવ સમ્યક્ ચારિત્રનું પાલન કરી શકતા નથી. સુખ કે દુ:ખની આ લાગણીઓની લાંબી અસર હોતી નથી તેથી વેદનીય કર્મને નાકષાયોથી ભિન્ન માનવાં. આ જાતનું કર્મ મિથ્યા દર્શન ઉત્પન્ન કરે છે અને ગૃહસ્થ કે સાધુના આત્મિક વિકાસને રૂંધે છે. નાકષાયો અથવા અર્ધકષાયો નવ છે : હાસ્ય, રતિ, અરિત, શાક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ ( સ્ત્રીઓ માટેની ઇચ્છા), પુંવેદ ( પુરુષો માટેની ઇચ્છા ), નપુંસકવેદ (નપુંસક માટેની ઇચ્છા). આ બધાંને કારણે વિવિધ પ્રકારનાં કર્મા ઉદ્ભવે છે. સંયમ દ્વારા તેમને રોકી શકાય. આ બધી લાગણીઓના અનુભવ વિચાર અને આચારની સમતુલાને ઉથલાવે છે. કષાયોની તીવ્રતા ઉપર કર્મના સમય આધાર રાખે છે. જ્યારે કષાય કે નાકષાયને કારણે કોઈ પણ પ્રવૃત્તિ થાય છે, ત્યારે ચારિત્રમેાહનીય કર્માના પ્રવાહ ચાલુ થાય છે. કેટલાક લોકો બીજાના સમ્યક્ દર્શનની હાંસી ઉડાવે છે અને દુ:ખમાં આવી પડેલાં માણસાના ઉપહાસ કરે છે. કેટલીક વખત હાસ્ય નિરૂદ્દેશ હોય છે. શિથિલ ચારિત્ર્યવાળાં સ્ત્રી કે પુરુષ સાથેના સંબંધ દુ:ખ અને શાક ઉત્પન્ન કરે છે. બીજાની ઘૃણા કરવી, તેમની સાથે ધિક્કારપૂર્વક વર્તન કરવું, વિરુદ્ધ જાતિ પ્રત્યે ગાઢ આસક્તિ રાખવી—આ બધાં કારણેાથી જીવ દૂષિત થાય છે અને નવાં કર્મ આચરે છે. અઘાતીય ક આ કર્માં ચાર પ્રકારનાં છે : આયુ, નામ, ગાત્ર, અને વેદનીય. આ ચારેય પ્રકાર, માનવ, સ્વર્ગના જીવા, નારકી જીવા અને તિર્યંચ એમ ચાર પ્રકારની ગતિમાં જન્મેલા જીવા સાથે સંકળાએલાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy