SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ચારિત્રમેહનીયકર્મ અથવા સમ્યક ચારિત્ર મેહનીયના અઠ્ઠાવીસ પ્રકારો છે પ્રથમ પ્રકારનાં કર્મને ઉદય થતાં, સર્વજ્ઞાએ દર્શાવેલા માર્ગથી વ્યક્તિ વિમુખ થાય છે અને સત્યના સાચા સ્વરૂપ પ્રત્યે ઉદાસીન રહે છે. પોતાને માટે શું લાભદાયક છે અને શું નથી તેને વિવેક કરવા સમર્થ બને છે. આવી જાતનું વલણ વિકૃત હોય છે. સાચી અને સગુણી વિચારપ્રવૃત્તિ દ્વારા જો તેનું નિયમન કરવામાં આવે, તે સમ્યક દર્શનને અવરોધ થતો નથી. જો વિકૃત વલણ શુદ્ધ સ્થિતિ સાથે મિશ્ર થઈ જાય તો બીજો પ્રકાર અસ્તિત્વમાં આવે છે. આ ત્રણ પ્રકારનાં મોહનીય કર્મોની અસરને જૈન લોકો, કોદરા નામનું અનાજ ખાવાથી થતી અસર સાથે સરખાવે છે. સરખા તૈયાર થયા વિનાના કોદરા ખાવામાં આવે તો એવાં ચક્કર ચઢે છે કે ખાનાર ખૂબ ગભરાઈ જાય છે. મિથ્યાત્વની અસર આવી હોય છે. કોદરાનાં છોડાંને છડીને કદરા ખાવામાં આવે તે અસર ઓછી ભયજનક હોય છે અને મિશ્ર કર્મની અસરને મળતી આવે છે. જો કોદરા સારી રીતે સાફ કરવામાં આવે, તો તે હેજસાજ અસ્વસ્થતા ઉપજાવે છે જેને સભ્યત્વની અસર સાથે સરખાવી શકાય. ચારિત્ર મોહનીય કર્મના પચ્ચીસ પ્રકારે છે. આ પુસ્તકમાં તેમનું વિગતવાર નિરૂપણ કરવું મુશ્કેલ છે. મુખ્યત્વે કષાયો ચાર છે : ક્રોધ, માન, માયા અને લેભ. આ દરેકના ચાર પેટા પ્રકારો છે અને તેમની અસર ચારિત્ર પર થાય તે અનંત સંસારચક્રમાં ફેરા ફરવા પડે છે. એ ચાર પેટા પ્રકારે આ પ્રમાણે છે : અનંતાનુવંઘી અથવા આખા જીવનપર્યત જે કર્મની અસર રહેતી હોય તે, પ્રત્યાનાવર–કોઈ પણ કષાયની ન રોકી શકાય એવી લાગણી; પ્રત્યાહ્યાનાવરા અથવા રોકી શકાય અને અંકુશમાં રાખી શકાય એવા કષાયો. સવન અથવા ભભૂકતા, પરંતુ આત્મનિગ્રહથી અંકુશમાં આવી શકતા કપાયો. બીજા કર્મની મુદત એક વર્ષની, ત્રીજાની ચાર મહિના અને ચોથાની પંદર દિવસની હોય છે. કષાયોનું પ્રાબલ્ય ઉદાહરણ દ્વારા સમજાવવામાં આવે છે. ક્રોધના ચાર પ્રકારે, પથ્થર પર, માટીમાં, ધૂળમાં અને પાણીમાં દોરેલી રેખાઓ જેવા છે. પથ્થર પર દોરેલી રેખા દૂર કરતાં ઘણો શ્રમ પડે છે. માટી, ધૂળ અને પાણીની રેખાઓ દૂર કરવામાં શ્રમનું પ્રમાણ ઓછું થતું જાય છે. તેવી રીતે, અનંતાનુબંધી કર્મ, ક્રોધની અસર મહાપ્રયાસે અને ઘણાં બળથી રોકી શકાય છે, જ્યારે બાકીના ત્રણ પ્રકારના ક્રોધનું બળ ઓછું હોય છે. પરિણામે તે પ્રકારના ક્રોધનો ઝડપથી નાશ થઈ શકે છે. મનની કક્ષા પથ્થરના થાંભલા, હાડકાં, લાકડાના ટુકડા અને ઝાડની કુંપળ જેવી છે. અનુક્રમે દઢતા આ ચારેમાં ઓછી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy