SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ રોકે છે. માણસ પાસે આ વસ્તુઓ હોય છે અને તે આ વસ્તુઓના ઉપયોગ તેમ જ ઉપભાગ કરવા પણ ઇચ્છતા હોય છે. પણ આ કર્મ ઉપભાગમાં અવરોધક થાય છે. ઘણી વાર એવુ બને છે કે માણસે વસ્તુ ભેગી કરી હોય પણ કોઈ અજ્ઞાત કારણ તેને સંગ્રહેલી વસ્તુના ઉપભાગ કરવા દેતું નથી. તેમાં આ પ્રકારનું કર્મ જ કારણભૂત હોય છે. પાંચમું કારણ જીવના શુભ અને કલ્યાણકારક પ્રાપ્તિના પ્રયાસાને અટકાવે છે. આ રૂકાવટ આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં હોઈ શકે તેમ સાંસારિક સફળતા પ્રાપ્ત કરવામાં પણ હાઈ શકે. માહનીય બીજાના માર્ગમાં વિના કે રૂકાવટો ઉભી કરવી તે અન્તરાય કર્મનું કારણ હાય છે. દાન કે ઉદારતાનાં કૃત્યોમાં, જાહેર કલ્યાણનાં કાર્યોમાં, બીજાને મુશ્કેલીમાં સહાયરૂપ થવાનાં જાહેર ઉપયોગિતાનાં કાર્યો કરવામાં વિદના ઉત્પન્ન કરવાથી અંતરાય કર્મોના આાવ ઉદ્ભવે છે. શુભ કાર્ય કે શુભ વાણીને અવરોધે એવી પ્રવૃત્તિથી, આ કર્મનું ફળ મળે છે. ચોથા પ્રકારનું ઘાતિકર્મ તે મેાહનીયકર્મ. આ કાર્ય વિવેકશક્તિને રોકીને જુદી જુદી વસ્તુઓ પ્રત્યેના અભિગમમાં મેહ કે ભ્રમ ઉત્પન્ન કરે છે. આ પ્રકારનાં કર્મા ૨૮ પ્રકારના છે. દર્શનાવરણીયના ત્રણ પેટા પ્રકારો, કષાયો અને નાકષાયાને ઉત્પન્ન કરે તેમ જ તેનાથી ઉત્પન્ન થાય એવાં ચારિત્ર~મેાહનીયકર્મના બે પેટા પ્રકારો અને કષાયા અને નાકષાયોના પેટા પ્રકારો જે અનુક્રમે સેાળ અને નવ છે. આ કર્મની પ્રવૃત્તિને કારણે મનુષ્ય જીવના સાચા સ્વરૂપથી અજાણ રહી જાય છે. તેનાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર્ય મિથ્યા અને વિકૃત બને છે. મેાહનીય કર્મના બે મુખ્ય વર્ગો છે. દર્શનમેાહનીય અને ચારિત્રમાહનીય. બધું મળીને માહનીય કર્મના અઠ્ઠાવીસ ભેદ હોય છે. દર્શનમાહનીય કર્મ ત્રણ પ્રકારનાં હોય છે: પહેલા પ્રકાર છે મિથ્યાત્વ, અથવા ખોટી માન્યતા. જીવના સાચા સ્વરૂપ વિષે, તીર્થંકરોએ ઉપદેશેલા સિધ્ધાંતો વિષે અને સંતાએ રચેલા ધર્મગ્રંથોની યથાર્થતા વિષે ખોટી માન્યતા હોઈ શકે. બીજા પ્રકારમાં એવું માનસિક વલણ હોય છે જેમાં સમ્યક્ અને મિથ્યા માન્યતાઓનું મિશ્રાણ થયેલું હોય છે અને બે વચ્ચેના ભેદ પારખી શકાતા નથી. આને સમ્યગ્મિથ્યાત્વ—મિશ્રા કહે છે. છેલ્લું સમ્યકત્વપ્રકૃતિ છે. આ એવી અવસ્થા છે જેમાં સમ્યક્ માન્યતા પર થોડું મિથ્યાત્વનું પડ આવી ગયું હોય છે. પરિણામે શંકાશીલ માનસ પ્રવર્તતું હોય છે. સમ્યક્ માન્યતાની દૃઢતા અહીં જરા ડગમગતી હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy