SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ દર્શનાવરણીય એટલે એવું કર્મ જે અચક્ષુદર્શનાને અસ્પષ્ટ કરે. અચક્ષુ એટલે આંખ સિવાયની ઇન્દ્રિયે! એટલે કે ચામડી, જીભ, નાક, કાન, જેના દ્વારા વ્યકિત સ્પર્શ, સ્વાદ, ધ્રાણ અને ધ્વનિનો બાધ મેળવે છે. જ્યાં સુધી બધી ઇન્દ્રિયો યથાર્થ રીતે કાર્ય કરતી હોય છે, ત્યાં સુધી તેમના દ્વારા થતા બાધ યથાયાગ્ય હોય છે. કેટલાક માણસેાની એક કે બે ઈન્દ્રિયામાં કોઈક દોષ હોય છે અને પરિણામે આવી. ઈન્દ્રિયો દ્વારા બાધ થતા નથી. ચક્ષુ અને અચક્ષુદર્શનને બાહ્ય જગતના ઈન્દ્રિયાનુભવો સાથે સ્પષ્ટ સંબંધ હોય છે. ૫ અવધિ દર્શનાવરણીય, અવિધ જ્ઞાનાવરણીયની જેમ, એવા પ્રકારનું કર્મ છે જે જીવના સ્થળ કે સમયથી નિરપેક્ષ અલૈંદ્રિય બેાધને અવરોધે છે. સામાન્ય અજ્ઞાન, સત્ય માટેનું મિથ્યા દર્શન, કષાયો અને ભ્રમ પૂર્ણ દર્શનની શક્તિને રોકે છે. કેવલ દર્શનાવરણીય કર્મને કારણે આવું થાય છે. દર્શનની શક્તિને રોકે એવી મન અને શરીરની સ્થિતિને ઉત્પન્ન કરતાં દર્શનાવરણીય કર્મના પ્રકારો આ પ્રમાણે છે: નિદ્રા, નિદ્રાનિદ્રા, બેઠાંબેઠાં ઉંઘવું ( પ્રચલ ) જેને ઝોકું ખાવું કહે છે, મેટું ઝોકું (પ્રચલપ્રચલ ), શરીરની કોઈ ચેષ્ટા સાથે ઉંઘમાં ચાલવું (ત્યાનગૃધ્ધિ ). આને નિદ્રાભ્રમણ (somnambulism) – ઉંઘમાં જ કોઈ દુષ્ટ પ્રવૃત્તિ આચરવી — એવું કહે છે. શરીર અને મનની આ બધી એવી સ્થિતિઓ છે જે દર્શનની શક્તિને અવરોધે છે. - - અન્તરાય ત્રીજું ઘાતનીય કર્મ તે અંતરાય કર્મ છે. જીવના નૈતિક અને આધ્યાત્મિક વિકાસ કરે એવાં કલ્યાણમય કાર્યો કરવામાં આ પ્રકારનું કર્મ, માનસિક સંઘર્ષો ઉત્પન્ન કરીને એક જાતની અનિશ્ચિતતા ઉભી કરે છે. અંતરાય કર્યાં પાંચ પ્રકારનું છે : (૧) દાન ( ૨ ) લાભ (૩) ભાગ (૪) ઉપભાગ અને ( ૫ ) વીર્ય આ પાંચને અન્તરાય કર્મ અવરોધે છે. આ પાંચ પ્રકારનાં અવરોધક કર્મા પુણ્ય કે મુક્તિના કમેર્યા કરવામાંથી વ્યક્તિને અવરોધે છે. પહેલાંના ઉદાહરણરૂપે આપણે ઘણા માણસોનો અનુભવ લઈ શકીએ. તેઓ દાનમાં કાંઈક દ્રવ્ય આપવા ઇચ્છતા હાય પણ કોઈક લાગણી કે વિચાર તેમને આ ઇચ્છાના અમલ કરતાં રોકે છે. મન નિશ્ચય કરી શકતું નથી અને તેની ઢીલને પરિણામે દાન કરવાના નિર્ણય પડતો મુકવા પડે છે. બીજું કર્મ તેમને પોતે કરેલા લાભ કે નફાને ભાગવતાં રોકે છે. ત્રીજા અને ચેાથા પ્રકારનાં કર્મો સ્થાવર કે જંગમ માલમિલકતના ઉપભાગને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy