SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ કરે છે. બીજાએ શીખવ્યું હોય તેની કેટલાક અવજ્ઞા (ઉપપત) કરે છે અથવા તેને તુચ્છ ગણે છે. પહેલામાં સન્માનનો અભાવ છે, તો બીજામાં સાચા જ્ઞાનને Mટું કહી તુચ્છકારી દીધું હોય છે. આ બધી મનની વિકૃતિઓ છે. આવી વિકૃત માનસિક પ્રવૃત્તિઓ એવાં કર્મો ઉત્પન્ન કરે છે જે જ્ઞાન અને દર્શન બંનેને અવરોધે છે. પ્રથમ બે પ્રકારનાં જ્ઞાનને અસ્પષ્ટ કરતાં કર્મોના પ્રકાર ઉપર ચર્ચાઈ ગયા છે. બાકીનાં ત્રણ પ્રકારનાં જ્ઞાન જીવના આંતરિક બળના આવિર્ભાવ પર આધાર રાખે છે. મનુષ્ય ભવ્ય છે કે અભવ્ય તેના પર આવિર્ભાવની શકયતાનો આધાર હોય છે. જે મનુષ્ય સમ્યક્ દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક્ ચારિત્ર ધરાવતો હોય તે ભવ્ય છે. જયાં સુધી આ ગુણોને આવિષ્કાર ન થયો હોય અથવા જયાં સુધી વ્યક્તિ અભવ્ય હોય, ત્યાં સુધી ત્રણ પ્રકારનાં જ્ઞાન ગુપ્ત રહે છે અને એક પણ પ્રકારના જ્ઞાનને આવિષ્કાર થતું નથી. અભવ્ય મનુષ્ય મોક્ષ માટે નિર્ણાયો હોતે નથી. દર્શનાવરણીય આ પ્રકારનાં કર્મનાં કારણો આ પ્રમાણે છે: ધર્મગ્રંથ, સાધુસંઘ, સાચા ધર્મ, કે સ્વર્ગના જીવો અને સર્વજ્ઞ પર દોષનું આરોપણ કરવું અથવા નિર્બળતાઓ આરોપિત કરવી. વાણી અને મનની આવી પ્રવૃત્તિઓથી દર્શનાવરણીય કર્મોના પ્રવાહને ઉદ્ભવ થાય છે. સર્વજ્ઞો પૂર્ણ જ્ઞાન ધરાવતા હોય છે અને ગણધરો કે તેમના શિષ્યોએ આપેલા જ્ઞાનને આધારે ધર્મગ્રંથો રચાએલા હોય છે. સાધુઓના સંઘના ઉપરી આચાર્ય હોય છે. સાચો ધર્મ મનુષ્યને કર્મોનો ક્ષય કરવામાં અને સંસારમાંથી મુક્તિ મેળવવામાં મદદ કરે છે. આ સંદર્ભમાં દર્શન એટલે ધર્મગ્રંથોમાં જે કાંઈ કહેવાયું છે તે સાચું માનવાની માન્યતા અથવા આસ્થા અથવા કેટલીક વ્યકિતઓ બેટી હોય જ નહીં એવી માન્યતા જ્ઞાનમાં, મનની શુદ્ધિમાં અને ચારિત્ર્યમાં અમુક માણસો ચઢિયાતા છે એવી દઢ માન્યતા રાખવી, મહાપુરુષોને તુચ્છ માની લેવા અને હોય નહીં ત્યાં તેમના દોષ કલ્પી લેવા તેને અવર્ણવાદ કહે છે. | દર્શનાવરણીય કર્મના નવ વિભાગો છે: ચક્ષુ દર્શનાવરણીય, અચક્ષુ દર્શનાવરણીય, અવધિ દર્શનાવરણીય, કેવલ દર્શનાવરણીય, નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલ, પ્રચલપ્રચલ અને ત્યાનગૃધ્ધિ. ચક્ષુ દર્શનાવરણીય એટલે એવું કર્મ જે ચક્ષુરિન્દ્રિય દ્વારા થતા બોધને અસ્પષ્ટ કરે છે. ચાક્ષુષ દર્શનની સ્વાભાવિક સ્થિતિમાં અંતરાયરૂપ થતી મનની કે શરીરની સુદિ આને કારણે થાય છે. અચ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy