SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ જેને કારણે પ્રાણી બીજી ગતિમાં જન્મે છે તે નામકર્મની વધુ વિગતે આ પ્રમાણે છે. “નામ-કર્મ'માં ગતિ, વર્ગ, દેહ, મુખ્ય અને ગૌણ ભાગની રચના, સંયોજન, અણુઓનું આંતર સંયોજન, બાંધો, સાંધા, સ્પર્શ, સ્વાદ, દાણ, વર્ણ, મૃત્યુ પછીની ગતિ, આત્મહત્યા, બીજા દ્વારા વધ, શીતોષ્ણ પ્રભા, શ્વસનક્રિયા, ગતિ, વ્યકિતગત દેહ, જંગમ પ્રાણી, સૌમ્યતા, સુરીલો અવાજ, આકારસૌષ્ઠવ, સૂક્ષમ દેહ, (ઇન્દ્રિયોનો) પૂર્ણ વિકાસ, મજબુતાઈ, તેજોમય દેહ, ભવ્યતા અને પ્રતિષ્ઠા, આ બધાનું ઉંધુ (વ્યકિતગત દેહથી માંડીને) તેમજ તીર્થ કરવ–આ બધું આવી જાય છે. આ ગણતરી અદ્ભુત રીતે વ્યાપક છે કારણ કે તે બધી જ ગતિઓ અને પ્રાણીઓના વર્ગોને આવરી લે છે. માત્ર સ્પર્શેન્દ્રિય ધરાવતાં, સ્પર્શ અને સ્વાદની ઇન્દ્રિયો ધરાવતાં, સ્પર્શ, સ્વાદ અને દાણની ઇન્દ્રિયો ધરાવતાં, સ્પર્શ, સ્વાદ, પ્રાણ, દર્શન અને શ્રવણની ઇન્દ્રિયો ધરાવતાં–આ બધાં પ્રાણીઓના જીવોના જન્મ તેમનાં નામકર્મ અનુસાર છે. શરીર નામકર્મ પાંચ પ્રકારનાં હોય છે. શરીર પાંચ પ્રકારનાં હોય છે : (૧) સૌર દેહ અથવા સ્થૂળ શરીર, જે મનુષ્યો અને પશુઓ ધરાવે છે. (૨) વૈયિકા અથવા રૂપાંતર કરી શકે એવા દેહ. તે સૂક્ષ્મ અને બારીક દ્રવ્યોનાં બનેલાં છે. તેમના આકાર અને ઊંચાઈનું રૂપાન્તર થઈ શકે છે. દા. ત. દેવો અને નારકીય જીવો (૩) આહાર અથવા સૂક્ષ્મ દેહ. જેણે પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, તેમ જ જે પૂર્ણવિકસિત ગૂઢ આત્મશક્તિ ધરાવે છે તેવા પૂર્ણ, જૈન સાધુના મસ્તકમાંથી નીકળે છે અને વાતાવરણમાં પસાર થઈ પ્રભુના પગ આગળ પ્રકાશે છે, જ્યાં તેની શંકા દૂર થાય છે. (૪) તેના શરીર અથવા પ્રભામંડળ સાથેને દેહ, અથવા વિદ્યુત અને ચુંબકત્વની શક્તિ ધરાવતે દેહ. (૫) Jર્મળ શરીર અથવા કર્મનાં પરમાણુથી બનેલો દેહ. વિવિધ પ્રકારના દેહના કારણરૂપ નામકર્મનો ઉદ્દભવ ઉમાસ્વામીએ સમજાવ્યું છે. તેમના મત પ્રમાણે કપટભરેલી પ્રવૃત્તિઓ અને છળ એવા પ્રકારના કર્મપ્રવાહ ઉત્પન્ન કરે છે જેને કારણે અશુભ દેહ પ્રાપ્ત થાય છે. કુટિલતા એટલે વક્રતા–સરળ માર્ગ છોડી દેવો તે, વિકૃત અને આર્જવરહિત પ્રવૃત્તિ કરવી છે. બીજાને છેતરવાં તે પણ વક્રતાનું બીજું રૂપ છે. બંને પ્રકારની પ્રવૃત્તિઓ વિચિત્ર પ્રકારનાં માનસિક આંદલને ઊભાં કરે છે. આ પ્રવૃત્તિઓ જો સફળ થાય તો બીજાને હાનિકારક નીવડે છે. બંને અયોગ્ય પ્રવૃત્તિઓ છે તેથી અશુભ દેહરચના આપે તેવાં કર્મોને ઉત્પન્ન કરે છે. કુટિલતા અને છળ જેમ વધારે તેમ કર્મનું સ્વરૂપ વધુ ગાઢ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy