________________
܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀
સાહસ, દાક્ષિણ્ય, સંચય, સામ, દામ, દંડ, ભેદ તથા અર્થ (ધન-સંપત્તિ)ની સિદ્ધિ દર્શાવનારી અર્થક્યા છે. આ. હરિભદ્રસૂરિએ અસિ, મસિ, કૃષિ, વાણિજ્ય, શિષ્ય, ધાતુ અને અર્થોપાર્જન હેતુ સામ, દામ, દંડ, ભેદ વગેરેથી યુક્ત અર્થકથા ગણાવી છે.
કામકથાઃ આ કથામાં રૂપ-સૌંદર્યયુક્ત પાત્ર-પ્રસંગનું નિરૂપણ મહત્ત્વનું ગણાય છે. દાક્ષિણ્યતા, યૌન સંબંધ, મોહ, વિવાહ, ભોગ, સુખ, વેશભૂષા, કલાની શિક્ષા, દુર્જન, સંસ્કારી સજજનો વગેરે વિષયોને સ્પર્શે છે.
ધર્મકથા: આ કથામાં ધર્મને લગતાં વિવિધ વિષયો જેવા કે દાન, શીલ, તપ, ભાવ, સંયમ, શીલ, પુણ્ય, પાપ, અધર્મ, જીવનમાં શુભાશુભ કર્મનો પ્રભાવ, મનુષ્યની પ્રકૃતિ, જીવનની સફળતા-નિષ્ફળતા અને આરાધનાની માહિતી કેન્દ્રસ્થાને છે. જિનદાસગણિએ મનુષ્યની સર્વશક્તિ – અહિંસાના સિદ્ધાંતોનું નિરૂપણ કરતી કથાને ધર્મકથા ગણાવી છે. આ. હરિભદ્રસૂરિએ દશ ધર્મ યુક્ત (યતિધર્મ) અને અણુવ્રતોવાળી ધર્મકથા કહી છે. મહાકવિ પુણ્યદત્તે અભ્યદય અને નિઃશ્રેયસની સંસિદ્ધિ અને સધર્મની પ્રરૂપણા કરતી ધર્મકથા ગણાવી છે. ઉદ્યોતનસૂરિએ મનુષ્યના વિભિન્ન પ્રકારના ભાવવિભાવનું નિરૂપણ કરવાવાળી ધર્મકથા ગણાવી છે.
આગમ ગ્રંથોમાં ચાર પ્રકારના પુરૂષાર્થનું નિરૂપણ કરવાવાળી ધર્મકથા ચાર પ્રકારની દર્શાવી છે.
(૧) આક્ષેપણ કથા જ્ઞાન અને ચારિત્ર પ્રત્યે આકર્ષણ પેદા થાય અને શ્રોતાઓના મનને પણ અનુકૂળ આસ્વાદની અનુભૂતિ થાય તે આપણી કથા કહેવાય છે.
(૨) વિક્ષેપણ કથા : પરમતના કથન દ્વારા સ્વમતનું મહત્ત્વ – મૂલ્ય પ્રતિપાદન કરતી કથા વિક્ષેપણી કહેવાય છે.
(૩) સંવેદનકથા સંસારનાં દુઃખો, અસારતા, શરીરની અશુચિ,
(૨ ૪૧ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org