SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ કવિની અન્ય રચના ચિત્રસંભૂતિકુલકની રચના ૮૩ ગાથા પ્રમાણે પ્રાપ્ત થાય છે. નમૂનારૂપે પંક્તિઓ નીચે પ્રમાણે છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૧૩મા અધ્યયનને આધારે આ કુલકની રચના કરી છે એવો આધાર આપ્યો છે અને ચિત્ર સંભૂતિનાં ગુણગાન ગાવામાં આવ્યા છે. ૧૦. આદિ - વીર જિણંદ સુવંદિય ભાવઈ, જસુ ગુણ પાર ન સુરગુરૂ પાવઈ તેરમ અજધયણઈં વિખ્યાત, ચિત્રસંભૂતિ તણો અવદાત. ॥૧॥ શ્રી સાકેતપુરઈ વરચંગ, ચંદ ડિસ પુત્ત બહુ રંગ, મુણિચંદ સાગરચંદહ પાસઈ, લેઈ દીખ પુહવિ પ્રતિભાસાઈ. ॥૨॥ અંત - તેરમ અજઝયણઈ સુણિવઉ સુયણઈ વયણઇ વીર વખાણીયઉ એ, જેહ ભાવિ ભણિસ્યઈ શ્રવણિ સુણિસ્યઈ વિનઈ વૃતિથી જાણી યઉ. II ઈલાપુત્ર કુલકની રચના ૬૧ ગાથામાં કરી છે. ઈલાપુત્ર કર્મ વશ ભવ નાટક ને અંતે પ્રતિબોધ પામીને આત્માનું કલ્યાણ કરે છે. કવિના શબ્દો છે : ૧૧. આદિ - સ્મૃતિ સુહંકર સોલિમ જિણવર, સંતિ જિણેસર ધ્યાંવ ઉજી, પુહવિ પ્રગટ નર અતિ અચરજ કર, ઈલાપુત્ર ગુણ ગા વઉજી. ૧ એ ભવ નાટકની પરિ બુઝઈ, જે હુઈ ભવિયણ પ્રાણીજી, સાધુ સુસંગતિ સંયમ સુધઈ, મુજ ઈન વિષય નવિનાંણીજી. અંત - આપ તરીનઈ પાંચઈ તાર્યા, અવિગતિ પંથ લગાયા, નિરમલ ચિત્ત નિરંજન નિતનિત, વિનઈ ભગતિ ગુણ ગાયા રે. ૬૦ સોમ સુંદરસૂરિ શિષ્યની જીવદયા કુલ (ક) સજ્ઝાય ૧૫ કડીમાં રચી Jain Education International દ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005254
Book TitleJain Sahityano Swadhyaya
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherRitaben Kirankumar Shah
Publication Year
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy