SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ | ઉપસર્ગો કેમ થયા? ખામણા કુલક (૮૮-૩૩) ૮. સવે ખમંતુ મક્ઝ, અહંપિતેસિ ખમેમિ સવૅસિં; જે કેણઈ અવરબ્ધ, વેરં ચાંઉણ મઝત્યો ૩૩ સર્વે જીવો મને ક્ષમા આપો. તેઓએ કોઈએ મારો અપરાધ કર્યો હોય, તે તેઓના સર્વ અપરાધોને હું પણ વૈરભાવ છોડીને માધ્યસ્થ ભાવે ખમાવું છું. ઉપરોક્ત ઉદાહરણ દ્વારા કુલકમાં થયેલા જૈન દર્શનના સિદ્ધાંતો, વિચારોનો પ્રાથમિક પરિચય પ્રાપ્ત થાય છે. વધુ જિજ્ઞાસા હોય તો મૂળ પુસ્તક વાંચવાથી અનન્ય પ્રેરક આત્મ ભાવની વિશુદ્ધિ માટેના વિચારોનો અમૃતસમ આસ્વાદ થશે એવી ભાવના ઉચિત લેખાશે. ૧૫મી સદીની અજ્ઞાત કવિકૃત પ્રતિબોધકુલકની રચના પ્રાપ્ત થાય છે તેમાં માનવ ભવ સાર્થક કરવા માટે જૈન ધર્મની દૃષ્ટિએ બોધાત્મક વિચારો વ્યક્ત થયા છે. ૯. આદિ – તીર્થકર ચઉવીસજિમ મનિ તે સમરો ત્રિભુવનતારણ વીતરાગ તીહં ચલણ ન મેઈ કૃપા કરીઉ દેવ સાનિધિઈવિણ ગરથહ પુણ્ય નિસુણઈ ભવિયા એકચિતિ જિણ સાસણ ધન્ય. અંત - સાતમી વચ્છલ સંઘપૂજા તીહં પુણ્ય અપારો રાત્રિભોજન અનંતકાય ચાડી પરિહરો શુદ્ધિ ભાવિંઈદાન શીલ તપ ભાવનાભાવંઈ તે નર નિસઈ સહેલ સુકખ અનુકમિઈ પામઈ. કુલક' સંજ્ઞાવાળી કાવ્યકૃતિઓ માટે કલું શબ્દ પ્રયોગ પણ થયો છે. કવિ વિજયસમુદ્રની “નમિ-રાજ ઋષિ કુલ' કૃતિની ૬૩ ગાથામાં રચના થઈ (૫) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005254
Book TitleJain Sahityano Swadhyaya
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherRitaben Kirankumar Shah
Publication Year
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy