SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ એહવાં વચન મૂકીને માને, આપ ચાપણી આણા જી; તે કિમ મોક્ષતણાં ફલ પામે, ભવભવ તેણે ફિરણા જી. ધન...૧૦ મુજ મન મતનો નથી કદાગ્રહ, જિનઆજ્ઞા કેરો દાસ જી; કહે ગજલાભ સાચું સદહજો, જિનઆજ્ઞા પૂરે આશ જી. ધન. ૧૧ વીસું પંજોસણ હુંડી અંચલગચ્છ અને ખરતરગચ્છના સંઘવાળા આરાધકો બે શ્રાવણમાસ હોય ત્યારે પ્રતિક્રમણ (ફાગણ માસને ફાગણ માસ ન ગણતાં) ૫૦ દિવસે ચૌમાસી સંવત્સરી કરે છે. જ્યારે તપાગચ્છના સંઘવાળા ૮૦મા દિવસે સંવત્સરી કરે છે. લોક વ્યવહારમાં ફાગણ માસ ગણાય છે. એટલે વીસું પજોસણ હુંડી નામ આપવામાં આવ્યું છે. ૧૭મી સદીની વાચક મુલાની આ રચનાની ભાષા સરળ છે અને હુંડીના વિચારો વ્યક્ત કર્યા છે. વીસું પંજોસણ હુંડી ઢાળ પહેલી (ચતુર ચોમાસું હો સદ્ગુરુ આવિયા - એ દેશી) જિન બંધુ, હે વાસુપૂજ્ય ભાવશું, મન સરસ્વતી માય; આગમ વાણી રે સાચી જાણજો, જે ભાખે જિનરાય. ૧ કુમતિના વાહ્યા રે પ્રાણી બાપડાં, કિમ પામે ભવ પારે? વિધિશું જાણો રે, વિધિ મારગ ખરો, જે તારે સંસાર. વિધિશું...૨ કલ્પસૂત્ર રે બોલે જગગુરુ, સાધુ સમાચારી મજાર; દિન પચ્ચાસે રે પ૨વ પન્નુસણ, સૂત્રે ઘણે સુવિચાર. વિધિશું...૩ નિશીથ ચૂર્ણે રે પચ્ચાસે કહીયું, પ૨વ પજૂસણ જોય; ચોમાસાથી રે જેમ પડિક્કમે, તે વિધિ સૂત્રની હોય. વિધિશું...૪ Jain Education International ૧૮૮ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005254
Book TitleJain Sahityano Swadhyaya
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherRitaben Kirankumar Shah
Publication Year
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy