________________
આણસહિત સામાયિક પોષહ, કરતાં સવિ સુખ હોય રે; કહે ગજલાભ ચોખે ચિત્ત પુણજો, રીશસૂમ કરશો કોઈ રે. સુણો...૭
ઢાળ ચોથી
(રાગઃ ધનાશ્રી) જંબુદ્વીપ પન્નત્તિ માંહે દોય પખ ભાખ્યા છે; છ તિથિ વરસે પડતી બોલી, છ માસ ઓગણત્રીસા દાખ્યા છે. ૧ ધનધન જિનવર વચન સોહામણો, સગુરુશ્રી સવિ લહીએ જી; મુજ મન એહમતિ ખરી બેઠી, જિનઆજ્ઞા મસ્તક વહીએ જી. ધન...૨ માસ અરધ તે પક્ષ વખાણ્ય, પક્ષ અરધ તે અષ્ટમી છે; ઈણિ પેરે આઠમ પાખી કીજે, કહે કેવળીમતિ સમી જી. ધન...૩ પાખીદિન દશ ન હોવે, આઠમ, પંચ ન ભાખી જી; તેરી, સોલી સૂત્રે ન ભાખી, એમ પ્રતિક્રમણે દાખી જી. ધન...૪ ઉદીક ચઉદસ તે તુમ મૂકી, તેરસ કાં કરો પાખી; થોડી મતિ તમે સઘળી રાખી, સાચી સહણા નાખી છે. ધન...૫ પાંચમે પર્વ પજૂ@ બોલ્યું, જગતમાંહે સહુ જાણે જી; કાલિકસૂરિએ કારણે કીધું, ચોથે સહુ કો વખાણે છે. ધન...૬ આજ કહો કિસ્યું કારણ પડિયું, ઊંડું જૂઓ આલોચીજી; શાશ્વતા વચનને લોપી કરો છો, તે તમે કિસી કરણી જી. ધન...૭ અધિક માસ વળી વીસુ પજૂસણ, કલ્પનિયુક્ત ભાખ્યું છે; વીશ ને પચ્ચાશું મૂકી, એંસીકું ક્યાં દાખ્યું છે. ધન...૮ તે સાચું વળી સૂત્રે નિશૈકીય, જે જિનવર પ્રકાશ્ય જી; ગૌતમ આગળ વીર જિનેશ્વર, ભગવતી સૂત્રે ભાખ્યું છે. ધન...૯
૧૮૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org