SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪૯માં કરી છે. હુંડીના મૂળ કર્તા યશોવિજયજી ઉપા. છે. (૬-૭૦) આ રચનાના ઢેઢક મત ખંડન દ્વારા પ્રતિમાસ્થાપના વિચાર વિશે શાસ્ત્રીય પ્રશ્નોત્તરની માહિતી પ્રાપ્ત થાય છે. ૨. જિન પ્રતિમા દઢીકરણ હુંડી ખરતરગચ્છના શાંતિષ મુનિના શિષ્ય જિનહર્ષની રચના જિનપ્રતિમા દઢીકરણ હુંડી અથવા રાસની રચના ૬૭ ગાથા પ્રમાણ સં. ૧૭૨૫માં કરી છે. તેમાં મુખ્યત્વે જિનપ્રતિમાપૂજન વિશેના શાસ્ત્રીય આધાર દર્શાવવામાં આવ્યા છે અને જિનપ્રતિમાપૂજનના વિચારોનું સમર્થન કર્યું છે. નમૂનારૂપ પંક્તિઓ નીચે પ્રમાણે છેઃ આદિસુઅદેવી હિયડેધરી સદગુરૂ વયણ રયણ ચિતધારકે રાસભણું રળિયામણો સૂત્ર જિનપ્રતિમા અધિકાર કે. કુમતિ કદાગ્રહ પરિહરો મન હઠ મકરો મૂઢગિમારકે હથ મિથ્યાત વખાણીયે મિથ્યાતે વાઘે સંભાર કે. અંત: મુજ મન જિનપ્રતિમા રમી જિનપ્રતિમા માહરે આધાર મેં સદ્ધહણા મુઝ એહવી જિનવર જિનપ્રતિમા આકારમેં સતરેસે પચવીસે સમેં હિમરતસીલત મૃગશિર માસÁ રાસકીયો રળિયામણો જિનવર નમતાં લીલવિલાસ મેં શ્રી ખરતરગચ્છ ગહગë શ્રી જિનચંદ સૂરીસ મહંત મેં વાચક શ્રી સોમગણિ તણે સુપસાર્યે જિનહર્ષ કહેત કે. ૩. જિનાજ્ઞા હુંડી અથવા અંચલગચ્છની હુંડી સોળમી સદીના અંચલગચ્છના મુનિ ગજલાભની ઉપરોક્ત હુંડી રચના પ્રાપ્ત થાય છે. જિનશાસનમાં “આજ્ઞા એ મહાન ધર્મ છે એ સૂત્ર સર્વપ્રથમ (૧૮૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005254
Book TitleJain Sahityano Swadhyaya
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherRitaben Kirankumar Shah
Publication Year
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy