SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ E 7 ઠવણ નિક્ષેપ પ્રમાણ પંચાંગી, પરખી બહું પ્રારંરે. જિનજી તુજ–ાણા શિરવહીણ, તુજશા સનનય શુદ્ધયરુપણ ગુણથી શિવસુખ બહિણરે. હુંડી એટલી વીનતી. વેપાર ધંધામાં નાણાંકીય વ્યવહારમાં હુંડીનું ચલણ હતું. કવિએ ઢંઢક મતવાળાને સ્તવનની હુંડી દ્વારા વિતરાગની વાણી-આગમ ગ્રંથોનું જે જ્ઞાન છે તેનો આધાર દર્શાવીને પ્રતિમા સ્થાપના પૂજાનો અધિકાર શારામ સંમત છે એમ જણાવ્યું છે એટલે આ સ્તવનરૂપ હુંડી ઢંઢક મતવાળાએ સ્વીકારવી જોઈએ એમ સમજાય છે. સત્યવિચાર ગ્રહણ કરવાથી આત્માનો અવશ્ય ઉદ્ધાર થાય છે. હુંડીનો પર્યાયવાચી શબ્દ વિનંતીને લીધે ભક્તો પ્રભુને વીનતી કરીને ઉદ્ધારની ભાવના વ્યક્ત કરે છે એટલે આ પ્રકારની પ્રતિમા પૂજન દ્વારા મૂર્તિપૂજા) ના મતનું સમર્થન કરવા માટે આગમના ગ્રંથોનો સંદર્ભ આપીને ઢંઢક મતના સંશયોનો પ્રતિકાર કરવામાં આવ્યો છે. મૂર્તિપૂજા એ કોઈ ફળદ્રુપ ભેજાની કલ્પના નથી પણ પ્રભુ ભક્તિના પ્રકાર માટેની ઉત્તમોત્તમ વ્યવસ્થા છે. કવિના શબ્દોમાં માહિતી નીચે પ્રમાણે નોંધવામાં આવી છે. કોઈ કહે જિન પૂજાતાજી | જે પટકાય આરંભ | તે કેમ શ્રાવક આચરેજી | સમકિતમાં થિરથંભ | સુખદાયક તોરી આણા મુજ સુપ્રમાણ / ટેકાના અર્થ : કોઈ કહે જિન પૂજતાં કે કોઈક તો ઢુંઢીયા એમ કહે જે પરમેશ્વરની પૂજા કરતાં થતાં જે પટકાય આરંભ કે તન કાયની જે હિંસા થાય તે તો કે તે પૂજા કેમ શ્રાવક આચરે કે શ્રાવક ષટું કરે? સમકિતમાં થિરથંભ કે સમકિત દઢ બને તે શ્રાવક સકાયની હિંસાનો હેતુ જે જિનપૂજા તે ધર્મવાસ્તે કેમ કરે ઈતિ પ્રથમ ગાથાર્થ સુખદાયક કે હે સુખદાયક સુખના દેણહાર તોરી આણા કે તમારી આજ્ઞા તે મુજ સુપ્રમાણ કે મહારે પ્રમાણ રે અથવા પ્રભુજી સ્તવના તો કરે જ જે માટે પ્રભુને કહે રે જે સુખદાઈ જે તમારી આજ્ઞા તે મારે પ્રમાણ તે એટલે એ ભાવ જે તમારી આજ્ઞા તે પ્રમાણે તે પણ કુયુક્તિ કરવી તે પ્રમાણે નથી. (૧૮૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005254
Book TitleJain Sahityano Swadhyaya
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherRitaben Kirankumar Shah
Publication Year
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy