________________
પચવીશ જણસું પ્રીતિઃ ઉપાધ્યાયના ૨૫ ગુણ, ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ચરણ સિત્તરી, કરણસિત્તરી એમ ૨૫ ગુણ છે.
ચાર ચતુર કરી હાથ : દાન-શીલ-તપ અને ભાવ ચાર પ્રકારનો ધર્મ કરવો.
બત્રીસ -ચોત્રીસ-ચોરાશી ઓગણીશ દૂર નિવારી
૩૨ સામાયિકના ૩૨ દોષ, ૧૦મનના, ૧૦વચનના બાર કાયાના એમ ૩ર દોષ.
૩૩ઃ ગુરુની ૩૩ આશાતનાનો ત્યાગ.
(૧) પુરોગમન, (૨) પક્ષગમન, (૩) આસન્ન, (૪) પુર:સ્થ, (૫) પક્ષસ્થ, (૬) આસનસ્થ, (૭) પુરોનિષદન, (૮) પક્ષનિષદન, (૯) આસનનિપાદન, (૧૦) આચમન, (૧૧) આલોચન, (૧૨) અપ્રતિશ્રવણ, (૧૩) પૂર્વાલાપન, (૧૪) પૂર્વીલોચન, (૧૫) પૂર્વોપદર્શન, (૧૬) પૂર્વ નિમંત્રણ, (૧૭) ખટ્ટાધન, (૧૮) ખદાધન, (૧૯) અપ્રતિશ્રવણ, (૨૦) ખદ્ર (ભાષણ), (૨૧) તવગત, (૨૨) કિમ, (૨૩) તુમ્, (૨૪) તજાતું, (૨૫) નોસુમન, (ર૬) નોસ્મરણ, (૨૭) કથાછેદ, (૨૮) પરિષભેદ, (૨૯) અનુત્થિતકથા, (૩૦) સંથાર પાદઘટ્ટન, (૩૧) સંથારાવસ્થાન, (૩૨) ઉચ્ચાસન, (૩૩) સમાસન.
૮૪: જિનમંદિરની ચોરાશી આશાતનાનો ત્યાગ.
(૧) જિન મંદિરમાં ઘૂંકવું તથા ગળફો નાંખવો. (૨) જુગાર-જુગટું રમવું. (૩) કલહ-કજીયો કરવો. (૪) ધનુર્વેદાદિકળાનો અભ્યાસ કરવો. (૫) કોગળા કરવા. (૬) પાન-સોપારી મુખવાસ ખાવો. (૭) પાનની પિચકારી મારવી. (૮) ગાળ દેવી, ગાળાગાળી કરવી. (૯) લઘુનીતિવડીનીતિ કરવી. (૧૦) શરીર હાથ-પગ આદિ ધોવાં. (૧૧) વાળ ઉતારવા, વાળ ઓળવા. (૧૨) નખ ઉતારવા કે રંગવા. (૧૩) લોહી નાખવું. (૧૪) સુખડી વગેરે ખાવું. (૧૫) ગડ-ગુંબડ આદિની ચામડી ઉતારવી. (૧૬) ઔષધાદિકે
(૧૧૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org