SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ જુગારીને ધૂત રમવાના પાસા પત્ની કરતાં પણ પ્રિય છે, સાસુ અને પત્ની પણ વૃદ્ધ અશ્વની માફક એને ઘેર ઈચ્છતાં નથી - ધિક્કારે છે, આફતમાં સપડાય ત્યારે સહાયક પણ મળતો નથી, તેની પત્નીને અન્ય લોકો અપમાનિત કરે છે, પત્ની, મા-બાપ, ભાઈ સૌ ઓળખાણ આપવાનું ટાળે છે. અન્ય જાયાં પરિ મૃસત્યસ્ય યસ્યાગ્રુધ વેદને વાગ્ય ૧ ક્ષઃ | પિતા માતા ભ્રાતર એનમાહુર્ત જાનીમો નયતા વદ્ધમેતમ્ ૮. આમ છતાં પાસાનો અવાજ સાંભળતાં જ વ્યભિચારિણી સ્ત્રીની માફક પહોંચી જાય છે. દરેક વખતે જીતવાની આશા હોય છે પણ તે ફરી ફરી હારે છે. પાસાનું પ્રાબલ્ય ઋષિ સુંદર રીતે નિરૂપે છે. નીચા વર્તન્ત ઉપરિ સ્ફરન્તિ અહસ્તાસો હસ્તવત્ત સહજો. દિવ્યા અલ્ગારા ઇરિણે ન્યુમાઃ શીતા સન્તો હૃદય નિર્દયન્તિ લા આથી જ જુગારી અનુભવથી પાઠ શીખી ઉપદેશ આપે છે : અર્મા દીવ્ય કૃષિમિત્કષસ્વ વિત્તે રમસ્વ બહુ મજ્યમાનઃ તત્ર ગાવઃ કિતવ તત્ર જાયા તન્મે વિચષ્ટ સવિતાયમર્ય /૧all અથર્વવેદનું શાલાસૂક્ત (૩-૧૨) પણ આવું લૌકિક સૂક્ત ગણાય. ધાર્મિક અને લૌકિક કાવ્યો વચ્ચે દાનસ્તુતિ જેવાં કાવ્યોને સ્થાન આપી શકાય. ઋગ્વદના ૧૦-૧૧૭માં દાનનો મહિમા સમજાવી દાન પામવાની અભિલાષા સુવ્યક્ત છે જ. ક્યારેક સમસ્યા-પ્રહેલિકા કે પ્રશ્નોત્તર રૂપે જોવા મળતાં મંત્રો કે સૂક્તોને “RiddlePoetry” કહી શકાય. ઋ. ૧-૧૬૪માં અનેક પ્રહેલિકાઓ છે. દાનસ્તુતિની એક સમસ્યારૂપ ઋચા જોઈએ: એકપા ભૂયો દ્વિપદો વિચકે દ્વિપાત્ ત્રિપાદમધ્યેતિ પશ્ચાત્ | ચતુષ્પાદેતિ દ્વિપદામભિસ્વરે સંપશ્યન્ પક્તીક્ષતિષ્ઠમાનઃ | નાસદીયસૂક્તમાં પ્રશ્નોત્તર રૂપે (ઋ. ૧૦-૧૧૭-૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005254
Book TitleJain Sahityano Swadhyaya
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherRitaben Kirankumar Shah
Publication Year
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy