SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વાદ અવક્તવ્ય-પ્રત્યેક વસ્તુ અસ્તિત્વ અને ન-અસ્તિત્વના ગુણોને લીધે અવક્તવ્ય બની શકે છે. બન્ને ધર્મો સાથે હોય. સ્યાદઅસ્તિ અવક્તવ્ય- અસ્તિત્વ હોવા છતાંયે અવક્તવ્ય હોય તે સ્વાદનાસ્તિ અવક્તવ્ય-અસ્તિત્વ ન હોવાથી અવક્તવ્ય હોય તે. સ્વાદઅસ્તિ, સ્યાદનાસ્તિ, અવક્તય- પ્રત્યેક વસ્તુ વારાફરતી અસ્તિ, નાસ્તિના ધર્મ સાથે, પણ દરેક વખતે અનિશ્ચતતાથી અવક્તવ્ય બની રહે તે. આ રીતે વસ્તુનુ અસ્તિત્વ દ્દવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી જોવાનુ છે. સ્યાદવાદની દષ્ટિએ વસ્તુ તેના ગુણ સ્વરૂપે ચા પાય સ્વરુપે અસ્તિત્વ ધરાવે છે તેથી જ તેના સાત ભાંગા યા પ્રકારો છે. જૈન ધર્મનો સ્યાદવાદનો સિદ્ધાંત માત્ર પદાર્થનાં ગુણ ધર્મોના સ્વરૂપની સમજણ જ નથી પરંતુ તેમાં ગહન તત્વજ્ઞાન શમાયેલુ છે. અસ્તિત્વ વાદની આટલી સૂમ ચચાં ક્યાંયે જોવા મળતી નથી. વસ્તુનું અસ્તિત્વ માત્ર દ્દવ્યને લીધે જ નથી પરંતુ તે ક્ષેત્ર એટલે કે વસ્તુ જ્યાં રહેલી છે તે જગ્યા-અવકાશ, વસ્તુનુ જે ક્ષણે અસ્તિત્વ ગણ્યું છે તે કાળ અને જે સ્વરૂપમાં અસ્તિત્વ છે તે ભાવ આ ચારેય ( દ્દવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ )થી જ તેનુ અસ્તિત્વ સાબિત થઇ શકે. અન્ય રીતે એજ વસ્તુ બીજી વસ્તુ પણ ગણી શકાય. સિદ્ધાંતોનુ પણ આમ જ છે, વિચારોનુ પણ આજ રીતે સામાન્ય કે વિશેષ રુપે અવલોકન કરી શકાય. સ્યાદવાદના ઉપરના સિદ્ધાંતને સમજી શકીએ તો આધુનિક વિજ્ઞાનને તથા અવકાશ અને ખગોળ શાસ્ત્રને સમજી શકીએ અસ્તિત્વવાદની ઉપરની વાત પરથી આધુનિક કલામાં તથા કાવ્યોમાં જે અસ્તિત્વવાદ અને સર-૨ીયાલીઝમ છે તેનો પાર પણ પામી શકાય. Jain Education International For Private & Personal Use Only )'' www.jainelibrary.org
SR No.005252
Book TitleHemsiddhi
Original Sutra AuthorN/A
AuthorVinod Kapashi
PublisherZaveri Foundation
Publication Year
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy