________________
આડકતરી રીતે દર્શાવીને સ્તુતિ કરવામાં આવી છે. અનંત જ્ઞાન અને અબાધિત સિદ્ધાંતવાળા અને દોષ રહિત હોય તેની વાણીજ સ્યાદ્વાદ રુપ હોય તેથી ગ્રંથના સ્યાદ્વાદના સિદ્ધાંતનો અહીં પાયો નખાયો છે.
શ્લોક ચોથાથી અન્ય દર્શનના સિદ્ધાંતોને ઉલ્લેખ શરુ થાય છે. આમાં બે મુખ્ય છે- જગતને કતાં છે અને તે ઈશ્વર છે તથા આત્મા અને જ્ઞાન ભિન્ન છે, આ બન્ને માન્યતાઓ જન દર્શનથી જૂદી પડે છે. વસ્તુઓનાં ગુણ-દોષની બાબતમાં પણ જૈન ધર્મની માન્યતા ભિન્ન છે. સોળમાં શ્લોકમાં બૌદ્ધ સિદ્ધાંતની વાત છે તેમને ક્ષણિકવાદ યથાર્થ નથી તેમ અહીં જણાવાયું છે.
શ્લોક ૨૧ થી જેના દર્શનની માન્યતાઓ દશાવેલ છે. વસ્તુઓ ઉપતિ, સ્થિતિ અને લય ધરાવે છેઆમ છતાંયે તે દ્રવ્ય તરીકે સ્થિર છે ( ગુણ અને પયાંય બદલાય છે ) દરેક પદાર્થ અનંત ધમ ધરાવે છે અને પરિવર્તનને પાત્ર છે તેમ બાવીશમાં શ્લોકમાં જણાવાયું છે. પ્રત્યેક પદાર્થ કથંચિત નિત્ય, અનિત્ય, સામાન્ય, વિશેષ, વાચ્ય, અવાચ્ય, સત, અસત હોય છે. વસ્તુ એકાંતે નિત્ય પણ નથી એકાંતે અનિત્ય પણ નથી દરેક વસ્તુ સાપેક્ષ છે. આ રીતે પ્રત્યેક પદાર્થ અનંત ધર્મ ધરાવે છે, કારણકે ભૂત, વર્તમાન, ભવિષ્ય કાળમાં વસ્તુનું અસ્તિત્વ હોય છે અને તેથી તેના અનંત પયાંયો સંભવી શકે છે. આત્મામાં પણ અનંત ધમો રહેલાં છે આ છે જ્ઞાનોપયોગ, દર્શનપયોગ, કર્તુત્વ, ભોસ્તૃત્વ. અમૂર્તપણ. અસંખ્યાતા પ્રદેશ સ્વરુપ અને જીવ7.
બ્લોક ૨૩માં કહે છે કે જ્યારે વસ્તુને સામાન્ય છે તેમ કહીએ છીએ ત્યારે તે દુવ્ય સ્વરુપે છે અને જ્યારે "વિશેષરૂપે ઓળખીએ છીએ ત્યારે તે પયાંયરુપે હોય છે. દરેક વસ્તુનાં સાત ભાંગા ( પ્રકાર અથવા અવસ્થા ) હોય છે.
આ સાત ભાંગા નીચે પ્રમાણે છે. સ્યાદસ્તિ-પ્રત્યેક વસ્તુ અસ્તિત્વ ધરાવે છે તે. સ્યાદ નાસ્તિ-પ્રત્યેક વસ્તુનું નિષેધાત્મક સ્વ૫.
સ્યાદસ્તિ,સ્યાન્નાસ્તિ-કયારેક અતિત્વ, કયારેક અસ્તિત્વ હીન
96
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org