________________
અન્યયોગ વ્યવચ્છેદ દ્વાત્રિશિકા
કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે અન્યયોગ વ્યવચ્છેદ દ્વાત્રિંશિકા નામના ગ્રંથની રચના કરી છે. તે ગ્રંથ પરથી આચાર્યશ્રી મલ્લિષેણે સ્યાદવાદ મંજરી નામનો ગ્રંથ લખ્યો છે. મૂળ ગ્રંથ એ તો માત્ર ૩૨ શ્લોકની રચના જ છે. આ ૩૨ શ્લોકમાં જૈન દર્શનનું સમર્થન તથા અન્ય દર્શનોમાં દર્શાવાયેલી માન્યતાઓ શા માટે યોગ્ય નથી ઠરતી તેવું પ્રતિપાદન કરેલ છે.
જૈન દર્શનમાં જડ ચેતનની જે ચાં છે તેવી જ રીતે અન્ય દર્શનોમાં પણ તેવી ચર્ચા જોવા મળે છે. આત્મા, આત્માનુ અસ્તિત્વ, તેનુ સ્વરૂપ, મોક્ષ વગેરેની ચર્ચામાં ભેદ પણ જોવા મળે છે. આત્મા નિત્ય છે અનિત્ય છે, એક છે, અનેક છે, આત્મા છે જ નહીં એમ અનેકવિધ માન્યતાઓ ભારતીય દર્શનોમાં છે, જૈન ધર્મ
આ બાબતમાં શું કહે છે અને તેની વાત શા માટે, કઈ રીતે સુયોગ્ય છે તે દર્શાવવાનો આ શ્લોકોમાં પ્રયાસ છે., જૈન દર્શનનુ સમર્થન કરવા સાથે જ અનેકાંતવાદનું વિશિષ્ટ રીતે મહત્વ પણ શ્લોકોમાં સમજાવેલ છે.
પ્રથમ શ્લોક જોઇએ.
અનંત વિજ્ઞાનમતીતદોષમબાધ્યસિધાન્તમમર્ત્યપૂજ્યમ્ ।
શ્રી વર્ધમાન જિનમાપ્તમુખ્ય સ્વયંભુવ સ્તોતુમહ યતિષ્ય II
* અનંત વિજ્ઞાન ધરાવતાં, દોષ રહિત, અબાધિત સિદ્ઘાંતવાલા, અમર્ત્ય (દેવોને પુજનીય, આપ્ત પુરુષોમાં મુખ્ય, સ્વયંભુ શ્રી વર્ધમાન જિનની સ્તુતિ કરવાનો હુ પ્રયત્ન ક છું-કરીશ (યતિષ્યે ).
પ્રથમ શ્લોકમાં રાગ દ્વેષથી પર, અનંત જ્ઞાની અબાધિત સિદ્ધાંત વાળા મહાવીર પ્રભુની સ્તુતિ કરવાનો હેમચંદ્રાચાર્યે પ્રયાસ કર્યો છે. અહીં તીર્થંક૨ ભગવંતના મૂળ ચા૨ અતિશયો (જ્ઞાનાતિશય, અપાયાગમ. વચન અતિશય તથા પૂજાતિશય ) ને
Jain Education International
For Private & Personal Use Only
95
www.jainelibrary.org