________________
પ્રમાણ મીમાંસા
ન્યાય અને પ્રમાણશાસ્ત્રનાં ગ્રંથમાં પાંચ અધ્યાયો છે અને તેમાંયે અત્યારે માત્ર પ્રથમ અધ્યાય સંપૂર્ણ અને બીજા અધ્યાયનો પહેલો ભાગ (આહિતક મળે છે, તેથી બાકીના બીજા અધ્યાયમાં અને ત્રીજા , ચોથા તથા પાંચમાં અધ્યાયમાં શેની મીમાંસા છે તે જાણવામાં આવી શક્યું નથી. તર્કશુદ્ધ જ્ઞાનને જ
સ્વીકાર પંડિતોને માન્ય હતો. એક તર્કની સામે પણ વિપક્ષી વિચારો રજૂ થતાં હતા. સહુ પોતાની રીતે તર્ક રજૂ કરતાં હતાં. કેટલીક વાર આમાં શબ્દલીલા જ જોવા મળતી કસોટીની એરણ પર કસાઈને આવતા તર્ક જ સિદ્ધાંતપ પ્રતિપાદિત થતો હતો, અને આવો સિદ્ધાંત તે જ પ્રમાણ. પંડિતોને માટે વાદવિવાદનાં અનેક પ્રસંગો ઊભાં થતાં હતાં. વિવિધ મતનાં પંડિતો પોતપોતાના વાદોનું સમર્થન કરવા મેદાને પડતાં હોય ત્યારે સંપૂર્ણ તર્કબદ્ધ વાદ જ અણીશુદ્ધ બહાર આવી શકે. જન ન્યાય અને પ્રમાણ શાસ્ત્ર વ્યવસ્થિત અને તર્કશુદ્ધ છે. આવા ગ્રંથોની રચના હિંદુ પડિતો અને બૌદ્ધ તથા જૈન વિદ્વાનોએ કરેલી છે. જેને વિદ્વાનોમાં હરિભદ્રસુરિ તથા સિદ્ધસેન દિવાકર સૌથી વિશેષ પણે ન્યાય પારંગત વિદ્વાનો ગણાય છે. દિગંબરમાં અકલંક તથા માણિક્યનંદી પણ ઉલ્લેખનીય છે. આચાર્યશ્રી હેમચંદ્ર શબ્દાનુશાસન, કાવ્યાનુશાસન અને છંદોનુશાસનની જેમ આ ગ્રંથ "વાદાનુશાસન" લખ્યો છે પણ તે પ્રમાણ મીમાંસા તરીકે જ ઓળખાય છે. પ્રમાણ મીમાંસાના દોઢ અધ્યાયનાં જે ૯ સૂત્રો ઉપલબ્ધ છે તેમાં આ પ્રમાણે રચના છે.
ગ્રંથના પ્રારંભે તત્વનાં અભ્યાસથી બોધિબીજ પ્રાપ્ત થાય છે તેમ આચાર્યશ્રી જણાવે છે. પ્રમાણ મીમાંસા એમ નામ કહીએ છીએ પણ પ્રમાણ એટલે શું ? હેમચંદ્દાચાર્ય કહે છે કે પદાર્થને યથાયોગ્ય નિર્ણય કરવો તે જ પ્રમાણ કહેવાય અને તેમાંય નિર્ણય એટલે શંશય રહિત નિષ્કર્ષ, યોગ્ય નિર્ણય લેવામાં વિપરિત વસ્તુઓનું નિરાકરણ થઈ જાય તે ઈચ્છનીય છે. તેથી જ આ
98
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org