________________
બીજાઓને દીક્ષાનાં માર્ગે વાળતો હતો. એકવાર ત્રષભ દેવે ભરતને કહ્યું કે તારો પુત્ર મરીચિ વર્તમાન ચોવીશીમાં ચોવીશમાં તીર્થકર તરીકે જન્મ ધારણ કરશે. ભગવાન મહાવીરના પૂર્વભવોમાં ત્રીજો ભવ મીચિનો હતો. સત્તાવીશમો ભવ તે મહાવીર સ્વામીને અંતિમ-પોતાને ભવ). તે મહા વિદેહમાં પ્રિયમિત્ર નામને ચક્રવર્તિ થશે મહાવીર સ્વામીને ત્રેવીસમો પૂર્વ ભવ) અને આ અવસર્પિણીમાં ત્રિપૃષ્ઠ નામને વાસુદેવ અઢારમો પૂર્વ ભવ થશે.ભરતે આ વાત મરીચિને કરી. મરીચિને આ વાત સાંભળીને ખૂબજ હર્ષ થયો પણ સાથોસાથ ગર્વ પણ થયો. પોતાના દાદા પ્રથમ તીર્થકર, પોતે અંતિમ તીર્થકર. પિતા પ્રથમ ચક્રવર્તિ અને પોતે ચક્રવર્તિ તથા વાસુદેવ બન્ને થશે. વાહ કેવું ઉચ્ચ કુળ મારું ? આ કુળની વાતથી, કુળના મદથી તેણે નીચ ગોત્ર કર્મ બાંધ્યું. વળી તેણે એકવાર કપિલ નામના રાજકુમારને ભગવાન પાસે દીક્ષા લેવા ન મોકલ્યો અને પોતે જ તાપસ હોવાં છતાં દીક્ષા આપી. આ બે કારણો- કૂળનું અભિમાન અને પોતાના ઉત્સુત્ર વચનોથી આપેલી દીક્ષા-ને લીધે મરીચિ ભવોભવ સંસારમાં ભટક્યો.
ભરતને કેવળજ્ઞાન ભગવાન ત્રષભ દેવનાં નિવાણ પછી ભારતમાં વૈરાગયભાવની જ્યોત પ્રગટી હતી. પરંતુ આ જ્યોત માત્ર વિરાગની નાની જ્યોત ન રહેતાં પૂણપણે તપ અને સંયમનાં
અગ્નિ રુપે પ્રજ્વલિત થઈ. આ પહેલા એક નાનું સરખો પણ મહત્વનો પ્રસંગ બની ગયો. એક વેળા ચક્રવર્તિ ભરત પોતાના વસ્ત્રાભૂષણોથી સજ્જ થઈ આરિસા ભુવનમાં ઊભાં હતાં, અહીં પોતાના રુપને દર્પણમાં નીહાળતાં હતાં ત્યાંજ આંગળી પરથી વીંટી પડી ગઈ. વીંટી વગરની આંગળી સામે તે ઘડી ભર જોઈ રહ્યાં આંગળીઓમાં પણ વૃદ્ધાવસ્થાની છાયા દષ્ટિગોચર થતી હતી. તેમણે મુગટ ઉતાર્યો કેશમાં પણ એ જ હાલત. નિસ્તેજ ધોળાં વાળ,
66
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org