________________
માતા પિતાનાં નામ તથા પંચ કલ્યાણકોની સઘળી વિગતો કહી. તે પછી બાર ચક્રવર્તિઓનું વર્ણન કર્યું. એ પછી વાસુદેવ, પ્રતિ વાસુદેવ તથા બળદેવોની વાત પણ કરી.
પ્રથમ તીર્થ પાલીતાણા-એકવાર ઋષભ દેવ ભગવાન પોતાના મુખ્ય ગણધર 2ષભસેન જે. પંડરિકના નામથી ઓળખાય છે. તેમની સાથે શત્રુંજય પર્વત પર પધાયાં. ત્યાં યથા સમય રહ્યા. ત્યાંથી વિહાર કરતાં પહેલાં પ્રભુએ પુંડરિકને કહ્યું કે તમે અહીં જ રહો તમને અહીં કેવળજ્ઞાન થશે. પુંડરિક તથા બીજા ગણધરો શત્રુંજય પ૨ જ રહ્યાં પ્રભુ ત્યાંથી ચાલી નીકળ્યાં. આ પર્વત પર પછીથી પુંડરિકસ્વામીને કેવળજ્ઞાન થયું અને ત્યાં જ તેમનો મોક્ષ થયો તેથી આ સ્થાન પ્રથમ તીર્થ બન્યું. ત્યાં ભરત રાજાએ રત્ન-શિલાનું ચૈત્ય બંધાવ્યું અને પુંડરિકજીની તથા ઋષભ દેવની પ્રતિમા પ્રસ્થાપિત કરી ત્રષભ દેવ ભગવાનને
ચોરાશી હજાર સાધુઓ, ત્રણ લાખ સાધ્વીઓ, ત્રણ લાખ પચાસ હજાર શ્રાવક, પાંચ લાખ ચોપન હજાર શ્રાવિકાઓ, ચાર હજાર સાતસો પચાશ ચૌદ પૂર્વનાં જ્ઞાતાએ, નવ હજા૨ અવધિજ્ઞાનીઓ, વીસ હજાર કેવળજ્ઞાનીઓ, છસો વેકિય લમ્પિવાળા, બાર હજાર સાડા છસો મનઃ પર્યવજ્ઞાની, બાર હજાર સાડા છસો વાદી, બાવીસ હજાર અનુત૨ વિમાન વાસી દેવો આટલાં અનુયાયીઓ હતાં. મહાપ્રભુ ષભ દેવ મહાવદી તેરશના દિને અભિજીત નક્ષત્રમાં મોક્ષ ગતિ પામ્યાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org