________________
બાહુબલિએ ઉગ્ર તપશ્ર્વયાંમાં કર્મોનો ક્ષય કર્યો પણ હજી કેવળજ્ઞાન પ્રગટ ન થયું બાહુબલિજીને થયું કે હું કેવળજ્ઞાન થયા પછી જ ઋષભ દેવને વંદન કરવાં જઇશ. પહેલા જઇશ તો ઋષભ દેવનાં શિષ્યો જેમાં મારા નાના ભાઇ પણ છે તેમને વંદન કરવાં પડરશે તેથી અત્યારે નથી જવુ- પરંતુ આ વિચાર, નાના મોટાની
આ ભાવના જ અવરોધરુપ બની ગઈ.
એક વેળા બાહુબલિજી જ્યાં હતાં ત્યાં બન્ને બહેનો બાભી અને સુંદરી તેમને પ્રણામ કરવા આવી . બહેનોએ માત્ર એટલું જ કહ્યુ.- વીશ માશ ગજ થકી હેઠા ઉતરી. હાથી પર ચડયા કેવળજ્ઞાન નહીં થાય" બાહુબલિને વિચાર આવ્યો હું ક્યાં હાથી પર બેઠો છું ? પરંતુ વધુ વિચાર કરતાં જ આખી વાત સ્પષ્ટ થઇ. પોતે મોટા છે તેવો જરા સરખોયે ગર્વ રાખવો તે હાથી પર ચઢ્યાં બરાબર છે. મારી ભૂલ થઇ કોઇ નાનુ નથી કોઇ મોટુ નથી. હું મારા નાના ભાઇને પણ વંદન કરવાં જઇશ. આમ વિચારી તેમણે પગ ભયો. હવે તો છેલ્લો તાંતણો તૂટી ગયો હતો. બાહુબલિજીને કેવળજ્ઞાન થયું
"
એક વા૨ ભરતને વિચાર આવ્યો કે મારા નાના ભાઇઓ દીક્ષા અવસ્થામાં અનેક પરિષહો સહન કરી શ્યાં છે. જ્યારે હુ ચક્રવર્તિ હોવાથી સર્વ પ્રકારની રિદ્ધિ સિદ્ધિ ભોગવું છું. ભર આમ વિચારીને પોતાના ભાઇને રાજ્ય સુખ આપવાની ઇચ્છા વ્યક્ત કરી. વિવિધ પ્રકારનાં ભૌગ સુખ અન્ન તથા પીણા આપવા વિચાર કર્યો. જે ભાઇએ સર્વસ્વનો ત્યાગ કયો હતો તેમણે આમાંથી કશાનો સ્વીકાર ન કર્યો ભરતને આ સમયે સમજાયુ કે પોતાના રાજ્યસત્તા, રિદ્ધિ સિદ્ધિ સઘળું જ તુચ્છ છે.
એક વેળાએ ઋષભ દેવ ભગવાન અષ્ટાપદ પર્વત પર પધાયાં. ત્યાં સમવસરણમાં ભરત ચક્રવર્તિએ ભગવાનને પૂછ્યું કે આ ભરત ખંડમાં કેટલાં તીર્થંકર અને કેટલાં ચક્રવર્તિ થશે તે કહો. ઋષભ દેવ ભગવાને આ વખતે ૨૪ તીર્થંકરી, તેમનાં નગર,
Jain Education International
For Private & Personal Use Only
63
www.jainelibrary.org